Ad

Std 10 samajik vigyan chapter 2 swadhyay solution || social science chapter 2 swadhay solution std 10

 2 .ભારતનો સાંસ્કૃત્તિક વારસો : પરંપરાઓ : હસ્ત અને લલિતકલા

                સ્વાધ્યાય સોલ્યુશન 

☆ સવિસ્તર ઉત્તર લખો 

1. પ્રાચીન ભારતના વારસાની માટીકામ કલા સમજાવો

✒️ ભારત પ્રાચીન સમયથી કાચી અને પકવેલી માટીના વાસણો તેમજ વસ્તુઓ બનાવવા માટે જાણીતું હતું 

✒️ ઘી , તેલ , દૂધ , દહીં , છાસ વગેરેના પાત્રો તેમજ રસોઈના વાસણો માટીમાંથી વિશિષ્ટ રીતે બનાવવામાં આવતા 

✒️ પ્રાચીન યુગમાં ધાતુની શોધ થઈ એ પહેલા લોકો માટીમાંથી બનાવેલા પાત્રોનો ઉપયોગ કરતા 

✒️ એ સમયે રમકડાં , ઘડો , કોડિયું , કુલડી , માટલી , ચૂલો , ઈંટો વગેરે સાધનો માટીમાંથી તૈયાર કરવામાં આવતા 

✒️ અનાજનો સંગ્રહ કરવાની નાની - મોટી કોઠીઓ માટીમાંથી બનાવાતી . 

✒️  ગામડાના બધા જ ઘરોની દીવાલો માટી અને છાણાંનું મિશ્રણ કરીને લીપવામાં આવતી 

✒️  લોથલ , મોંહે - જો - દરો અને હડપ્પા સંસ્કૃતિના અવશેષોમાંથી માટીમાંથી બનાવેલા લાલ રંગના પવાલા , બરણી , રકાબી વગેરે વાસણો મળી આવ્યા છે

✒️  આજે પણ ગુજરાતમાં નવરાત્રીના તહેવારમાં માટીમાંથી બનાવેલો ગરબો જોવા મળે છે 

✒️ કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર મનાય છે


2. ચર્મકામ ભારતની ઘણી જૂની કારીગરી છે ’ તે સ્પષ્ટ કરો . 

✒️ પ્રાચીન ભારતના લોકો પોતાની રોજિંદા જીવનમાં ચામડામાંથી બનાવેલી અનેક વસ્તુઓ વાપરતા આમ , ચર્મકામ એ ભારતની ઘણી જૂની કારીગરી છે 

✒️  ખેતી માટે કુવામાંથી પાણી કાઢવા માટેના કોસ , મશકો , પખાલો , ઢોલ , નગારાં , ઢોલક , તબલા જેવા સંગીતના સાધનો , લુહારની ધમણો , પગરખાં , યુદ્ધમાં વપરાતી ઢાલ , તલવારનું કવર વગેરે ચામડામાંથી બનાવવામાં આવતા 

✒️ આજે ભરતગૂંથણવાળી રાજસ્થાની મોજડીઓ , બુટ , ચંપલ , ચામડાના પાકીટ , પટ્ટા તેમજ ઊંટ - ઘોડાના સાજ , પલાણ , લગામ , ચાબુક માટેની દોરી જેવા સાધનો ચર્મઉધોગ દ્વારા તૈયાર થાય છે 

✒️  પ્રાચીન સમયમાં મૃત્યુ પામેલા પશુઓના ચામડાનો ચર્મઉધોગ માટે ઉપયોગ કરવામાં આવતો . 

✒️  ચામડાને જૂની પદ્ધતિઓથી કમાવવામાં આવતા


3. સંગીત રત્નાકરનો પરિચય આપો .

✒️ સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગદેવે તેની રચના કરી છે

✒️ તેઓ દેવગિરિમાં રહ્યા હોવાથી ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી પરિચિત હતા 

✒️ સંગીત રત્નાકાર પ્રાચીન ભારતનો સંગીત - ગ્રંથ છે 

✒️ સંગીતના અંગો સંપૂર્ણપણે સમજવા - સમજાવવા માટે સંગીત રત્નાકાર ગ્રંથ અજોડ ગણાય છે 

✒️ પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે સંગીત રત્નાકારને સંગીતનો સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે


4. કથકલી નૃત્યુ વિશે સમજ આપો . 

✒️ ભારતમાં અને વિશ્વમાં કથકલી નૃત્યનો વ્યાપક પ્રચાર કરવામાં કેરલના કવિ શ્રી વલ્લભથોળ , કલામંડલમ , કૃષ્ણપ્રસાદ , શિવારમન વગેરેનો ફાળો ખુબ જ નોંધપાત્ર છે 

✒️ આ નૃત્ય શૈલીમાં પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ ધારણ કરે છે 

✒️ એ પછી તેઓ ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્દાથી ત્રણેય લોકના પાત્રોને સજીવ કરે છે 

✒️ પૌરાણિક મહાકાવ્ય મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલવાલમ મિશ્રિત નાટકો સમય જતા કથકલી કહેવાય 

✒️  તેનો પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પરના વિશિષ્ટ ચિતરામણ ને સમજવું પડે છે 

✒️ કથકલી કેરલ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે


☆ મુદ્દાસર જવાબ લખો 


1. નૃત્યકલા ક્ષેત્રે ભારતે કરેલી પ્રગતિ સમજાવો . 

✒️  નૃત્યના આદિદેવ ભગવાન શંકર ‘ નટરાજ કહેવાય છે 

✒️  નૃત્ય શબ્દની વ્યુત્પતિ મૂળ શબ્દ ‘ નૃત ’ પરથી થઈ છે નૃત્યનું મુખ્ય ધ્યેય તાલ અને સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવવાનું છે 

✒️  ભારતમાં ( 1 ) કૂચીપુડી , ( 2 ) મણિપુરી , ( 3 ) ભરતનાટ્યમ , ( 4 ) કથક , ( 5 ) કથકલી વગેરે શાસ્ત્રીય નૃત્યના પ્રચલિત મુખ્ય પ્રચલિત છે . 

( 1 ) કૂચીપુડી નૃત્ય 

✒️ આંધ્રપ્રદેશમાં ખુબ પ્રચલિત છે તેની રચના 15 મી સદી દરમિયાન થઈ છે 

✒️  કૂચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્યોની પાયાની મુદ્રાઓ સાંકળી લેવામાં આવી છે 

✒️  તે મુખ્યત્વે સ્ત્રી સૌર્યના વર્ણન પર આધારિત નૃત્ય છે સ્ત્રીઓ અને પુરુષો બંને નૃત્ય કરે છે 

✒️ ગુરુ પ્રહલાદ શર્મા , રાજા રેડ્ડી , યામિની રેડ્ડી , શોભા નાયડુ વગેરે જાણીતા નર્તક એ નૃત્યશૈલીના પ્રાચીન વારસાને પ્રસિદ્ધિ અપાવી છે

( 2 ) મણિપુરી નૃત્ય

✒️  મુખ્ય કેન્દ્ર મણિપુર રાજ્ય છે મણિપુરની આ નૃત્યકલાને જીવંત રાખી છે 

✒️ મણિપુરી નૃત્ય મુખ્યત્વે શ્રીકૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત છે 

✒️ આ નૃત્યમાં નર્તક ‘ કુમીન ’ તરીકે ઓળખાતો ઘેરા લીલા રંગનો ચણીયો અને રેશમનો કબજો પહેરીને કમરે પટ્ટો બાંધે છે 

✒️  આ નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે 

( 3 ) ભરતનાટ્યમ

✒️  દક્ષિણ ભારતમાં તામિલનાડુમાં પ્રચલિત છે તેનું ઉદભવસ્થાન તાંજોર જિલ્લો ગણાય છે 

✒️ ભરતનાટ્યમનો મુખ્ય આધારસ્ત્રોત ભરતમુનિ રચિત ‘ નાટ્યશાસ્ત્ર ' અને નંદીકેશ્વર રચિત ‘ અભિનવ દર્પણ ’ નામના ગ્રંથો છે

( 4 ) કથક 

✒️ કથકના નામના કથા રહેલી છે ‘ કથન કરે સો કથક કાવે ' આ ઉક્તિ કથક નૃત્યના વિકાસ સાથે જોડાયેલી છે 

✒️  કથક નૃત્યોની કથાઓ પર આધારિત છે 

✒️ પંડિત બિરજુ મહારાજ , સિતારા દેવી , કુમુદિની લાખિયા વગેરેએ આ નૃત્યકલાને જીવંત રાખી છે 

✒️  કથક નૃત્ય શ્રીકૃષ્ણના ગોપીઓ સાથે જોડાયેલી છે 

✒️ વૈષ્ણવ સંપ્રદાયની મૃગાંરી ભક્તિ સાથે તેનો ઉત્તર ભારતમાં વિકાસ થયો છે 

( 5 ) કથકલી 

✒️ કથકલી એ કેરલ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે આ નૃત્યના પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પરના વિશિષ્ટ ચિતરામણ ને સમજવું પડે છે 

✒️ આ નૃત્યશૈલીમાં પાત્રો સુંદર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ ધારણ કરે છે


2. ગુજરાતના ગરબા અને ગરબી વિશેની સમજ આપો . 

✒️ ગરબા શબ્દ ' ગર્ભદીવ ’ પરથી બન્યો છે 

✒️ સમગ્ર ગુજરાતમાં નવરાત્રી આસો સુદ 1 થી આસો સુદ 9 દરમિયાન ગરબા રમાય છે 

✒️  કોરેલાં ઘડામાં દીવો મૂકી તેની ચારે બાજુ નૃત્ય કરવું અથવા ઘડાને માથા પર મૂકી વર્તુળાકારે નૃત્ય કરવું , તેને “ ગરબો કહેવામાં આવે છે સામાન્ય રીતે ચોક કે મેદાનની વચ્ચે માતાજીની માંડવી મૂકી તેની વર્તુળાકારે ફરતા ફરતા તાળીઓના તાલે અને ઢોલના ધબકારે ગરબા ગાવામાં આવે છે 

✒️ ગુજરાતમાં ગવાતી ગરીબીનો સંબંધ મદહેશે શ્રીકૃષની ભક્તિ સાથે છે

✒️ આ ઉપરાંત , ગરબામાં ગરબા ગવડાવનાર અને ઝીલનારા સૌ ઢોલના તાલે ગીત , સ્વર અને તાલ મેળવી એક તાળી , બે તાળી કે ત્રણ તાળી અને ચપટી સાથે હાથના હિલોળા સાથે ગરબા ગાતા હોય છ

3. ભારતના અને ગુજરાતના હીરા  મોતીકામ અને મીનાકારીગરી અંગે જણાવો . 

✒️ ભારતના કારીગરોએ બનાવેલા હીરાજડિત આભૂષણોની વિદેશોમાં પ્રાચીન સમયથી ખુબ માંગ રહી છે 

✒️ ભારતમાં લોકો હીરાજડિત સોનાના અલંકારોના શોખીન છે 

✒️  પ્રાચીન સમયના રાજા મહારાજાઓ અને બાદશાહો તેમના સિંહાસનો , મુગટો , માળાઓ , બાજુબંધ વગેરેની બનાવટમાં રત્નોનો ઉપયોગ કરતા 

✒️  વિશ્વના દેશોમાં માત્ર ભારત દેશ જ સોના ચાંદીના મીનાકારીના કલામાં મોખરાના સ્થાને છે 

✒️ ભારતમાં જયપુર , લખનઉ , દિલ્હી , વારાણસી અને હૈદરાબાદ મીનાકારીનું કૌશલ્ય ધરાવતા કારીગરો ખુબ મોટી સંખ્યામાં છે

✒️ ભારત સરકારે 7517 કિલોમીટરનો દરિયાકિનારો ધરાવે છે તેથી ભારતમાં હીરામોતી અસંખ્ય પ્રમાણમાં મળી આવે છે . તેથી દરિયાઈ માર્ગે વિદેશોમાં હીરામોતીનો બહોળો વેપાર થતો આવ્યો છે 

✒️ કોહિનૂર અને ગ્રેટ મુદાલ જેવા વિશ્વવિખ્યાત હીરા ભારતમાંથી મળી આવ્યા હતા 

✒️ પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ , અમીર ઉમરાવો , શ્રીમંતો , શ્રેષ્ઠીઓ મહાજનો વગેરે વૈવિધ્યસભર હીરાજડિત આભૂષણો પહેરતા 

✒️ વિવિધ આભૂષણોમાં થતું મોતીકામ એ ગુજરાતની હસ્તકલાની એક આગવી વિશેષતા છે . 

✒️  મીનાકારીમાં વીંટી , કંગન , એણિ , માળા , હાર , ચાવીનો ઝુમખો વગેરે સોના - ચાંદીના અલંકારોમાં લાલ , લીલો અને વાદળી જેવા ચમકતા રંગો પુરાવામાં આવે છે

4. ગુજરાતના આદિવાસી નૃત્યો વિશેની માહિતી આપો . 

✒️ ગુજરાતના આદિવાસીઓ હોળી અને અન્ય તહેવારોમાં , લગ્નોમાં , દેવી - દેવતાઓને રિઝવવા માટે તેમજ મેળાઓમાં પોતપોતાની ઢબના નૃત્ય કરે છે 

✒️ તેઓ નૃત્યોની સાથે પોતાની સ્થાનિક બોલીમાં ગાન કરે છે 

✒️ ડાંગના આદિવાસીઓ ‘ માળીનો ચાળો ’ તેમજ ‘ થાકર્યા ચાળો ' જેવા નૃત્ય કરે છે 

✒️  તેમના મોટા ભાગના નૃત્યો વર્તુળાકારે ફરતા ફરતા ઢોલા અને રૂઢિ મુજબના મંજીરા , થાપી , તૂર , પાવરી , તંબુરા વગેરે વાંજિત્રો સાથે થતા હોય છે - આવા નૃત્યોમાં ‘ ચાળો ’ નૃત્ય જાણીતું છે તેમાં તેઓ મોર , ખિસકોલી અને ચકલી જેવા પક્ષીઓની નકલ કરે છે 

✒️  ભીલ અને કાળી જાતિના આદિવાસીઓ શ્રમહારી ટિપ્પણી નૃત્ય કરે છે


☆નીચેના પ્રશ્નનોના ટૂંકમાં ઉત્તર આપો : 

1. ‘ સંગીત રત્નાકર અને સંગીત પારિજાત ' ગ્રંથોની રચના કરનાર પંડિતોના નામ જણાવો . 

✒️ સંગીત રત્નાકાર ની રચના પંડિત સારંગદેવે કરી હતી અને સંગીત પારીજાતિની રચના પંડિત અહોબલે કરી હતી .

2. “ કાંતણ કળામાં કઈ પ્રક્રિયા કરવામાં આવે છે ? 

✒️ ‘ કાંતણ ’ કળામાં 3 ની પૂણીમાંથી તાંતણા ખેંચવા સાથે તેમને વળ ચડાવી એકબીજાની પફડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવામાં આવે છે .

3. લોથલના કારીગરો ધાતુઓમાંથી શું શું બનાવતા હોવાનું જણાયું છે ? 

✒️ લોથલના કારીગરો તાંબા અને કાંસામાંથી દાતરડા, શારડીઓ , વળાંકવાળી કરવત , આર અને સોય જેવા ઓજારો બનાવતા હોવાનું જણાયું છે આ ઉપરાંત તેઓ ધાતુ માંથી વાસણો , મૂતિઓ અને પાત્રો બનાવતા . તેઓ યુદ્ધો માટેના અસ્ત્રો અને શાસ્ત્રો પણ ધાતુમાંથી બનાવતા .

4. હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર કઈ કઈ ભાત પાડતા હતા ? 

✒️ ફૂલછોડ અને ભૌમિતિક રેખાંકનોની ભાત પાડતાં હતા .

5. ભવાઇ વિશે ટૂંકી માહિતી આપો . 

✒️ પડદા વિના ભજવતા નાટકો , હળવી શૈલીની રમૂજો , ભૂંગળ વાધ સાથે સંગીત પ્રધાન નાટકો અને વિવિધ વેશ એ ભવાઈની વિશેષતા છે .

☆ વિકલ્પ પસંદ કરી લખો

1. નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસની છે ? 

( A ) ઊભંગ 

( B ) કર્ણભાર 

( C ) મેઘદૂતમ 

( D ) દૂતવાક્યમ

2. વૈજ્યંતિમાલા અને હેમામાલિની કઈ નૃત્યશૈલી સાથે જોડાયેલાં છે ? 

( A ) મણિપુરી નૃત્યશૈલી 

( B ) કુચીપુડી નૃત્યશૈલી 

( C ) કથકલી નૃત્યશૈલી 

( D ) ભરતનાટ્યમ નૃત્યશૈલી

3. ભારતનો કયો વેદસંગીત કલાને લણતો ગણાય છે ?

 ( A ) ઋગવેદ 

( B ) સામવેદ 

( C ) યજુર્વેદ

 ( D ) અથર્વવેદ

4. ભારતમાં સંગીતક્ષેત્રે ‘ તુતી - એ - હિન્દ ' તરીકે કોણ જાણીતું હતું ? 

( A ) તાનસેના

 ( B ) તુલસીદાસ 

( C ) કબીર

 ( D ) અમીર ખુશરો

5. ‘ ચાળો ’ નૃત્ય એટલે ક્યુ નૃત્ય ? 

( A ) આદિવાસીઓનું નૃત્ય 

( B ) ભરવાડોનું નૃત્ય

 ( C ) કોળીઓનું નૃત્ય 

( D ) પઢારોનું નૃત્ય

6. ધમાલ નૃત્ય કરતા સીદીઓ મૂળ ક્યાંના વતની હતા ?

 ( A ) રાજસ્થાન 

( B ) આંદામાના

 ( C ) આફ્રિકા

 ( D ) થાઈલેંડ

7. વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે ?

            ( A ) 21 જૂન 

            ( B ) 1 મે 

           ( C ) 21 એપ્રિલ

            ( D ) 5 સપ્ટેમ્બર


Post a Comment

0 Comments