Ad

Std 10 samajik vigyan chapter 9 swadhay solution || std 10 social science chapter 9

     9 . વન અને વન્યજીવ સંસાધન

                સ્વાધ્યાય સોલ્યુશન 

☆ સવિસ્તર ઉત્તર લખો 

1. જંગલોના પ્રકાર વિશે સવિસ્તર નોંધ લખો . 

☆ વહીવટી હેતુસર જંગલોના પ્રકાર ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યા છે 

( 1 ) અનામત જંગલો 

( 2 ) સંરક્ષિત જંગલો 

( 3 ) અવર્ગીકૃત જંગલો 

( 1 ) અનામત જંગલો

✒️ ઈમારતી લાકડું તેમજ વન્ય પેદાશો માટે કાયમીરૂપે સુરક્ષિત કે અનામત રાખવામાં આવે છે તેને અનામત કે આરક્ષિત જંગલો કહેવામાં છે 

✒️ આ જંગલો સરકારી તંત્રના સીધા નિયંત્રણમાં હોય છે 

✒️ તેમાં વૃક્ષો કાપવાની , લાકડા વીણવાની ખેતી કે પશુઓ ચરાવવાની પરવાનગી આપવામાં આવતી નથી 

✒️ તેમાં ભારતના જંગલોના કુલ વિસ્તારના 54.4 % રોકે છે 

( 2 ) સંરક્ષિત જંગલો

✒️ વૃક્ષોને કાપવા સિવાય લાકડા વીણવાની ખેતી કરવાની કે પશુઓ ચરાવવાની છૂટ આપવામાં આવે છે 

✒️ તે ભારતના 29.2 % વન વિસ્તાર રોકે છે 

✒️ આ જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા થાય છે

(3 ) અવર્ગીકૃત જંગલો

✒️ વિસ્તાર દુર્ગમ અને ગીચ હોવાથી વર્ગીકૃત કરવામાં આવ્યા નથી . તેને અવર્ગીકૃત જંગલો તરીકે ઓળખવામાં આવે છે .

✒️ તે ભારતના 16.4 % વન વિસ્તાર રોકે છે


2. વન સંરક્ષણના ઉપાયો વર્ણવો . 

 ✒️ બળતણ માટે લાકડાને સ્થાને ઉપયોગમાં લઈ શકાય તેવી સામગ્રીનો ઉપયોગ કરવો દા.ત. સૌરઉર્જા , પવનઉર્જા , બાયોગેસ વગેરે 

✒️ જરૂરિયાત પ્રમાણે જે વૃક્ષો કાપવા પડે તે જગ્યાએ બીજા વૃક્ષોનું વૃક્ષારોપણ તુરંત કરવું જોઈએ 

✒️ જંગલોમાંથી કાચો માલ મેળવવા ઉધોગોને તેમની જરૂરિયાત મુજબ વનીકરણ કરવું જોઈએ 

✒️  ઈકો - ટુરિઝમના વિકાસના નામે જંગલોની સ્થિતિ જોખમાય નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ 

✒️  ઘાસચારો અને બળતણની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ જેવા કાર્યક્રમો હાથ ધરવા જોઈએ 

✒️ શાળા - કોલેજોમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ નિયમિત પણે થાય તેવા પ્રયત્ન કરવા જોઈએ

✒️ દાવાનળથી જંગલોનો નાશ ન થાય તેની તકેદારી રાખવી જોઈએ તેમજ જરૂરી સાધનો હસ્તગત રાખવા જોઈએ 

✒️ જંગલોમાં પવિત્ર યાત્રાધામોમાં યોજાતા મેળાઓ , પરિક્રમા વગેરે જેવા કાર્યક્રમો દરમ્યાન જંગલોમાં બિન જરૂરી કચરો - થાય તેની તકેદારી રાખવી જોઈએ


3. વન્યજીવોના સંરક્ષણ માટેની વિવિધ યોજનાઓ વર્ણવો . 

🐘 હાથી પરિયોજના : 

✒️ હાથીઓને તેમના કુદરતી રહેઠાણોમાં સંરક્ષણ આપવા તેમજ તેમના સ્થળાંતરના માર્ગોનું સંરક્ષણ કરવાના હેતુથી ભારત સરકારે ઈ.સ. 1992 માં હાથી પરિયોજના નો અમલ શરૂ કર્યો 

✒️ આ યોજના અંતર્ગત દેશમાં 25 જેટલા વિસ્તારો આવરી લેવામાં આવ્યા છે 

✒️ આ યોજના દ્વારા હાથીઓની સંખ્યામાં વધારો થયેલો છે 

🐅 વાઘ પરિયોજના

✒️ આજે ભારતમાં વાઘના અસ્તિત્વ સામે બહુ મોટો ખતરો ઉભો થયો છે . 

✒️ તેથી વાઘની પ્રજાતિને બચાવવા ભારત સરકારે ઈ.સ. 1971 માં વાઘ પરિયોજના શરૂ કરી 

✒️ આ યોજનામાં વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણીય જતન કરવું ફરજીયાત છે આ યોજના અંતર્ગત દેશમાં કુલ 44 ક્ષેત્રો કાર્યરત છે 

🦏  ગેંડા પરિયોજના 

✒️ આ પરિયોજનામાં અસમ અને પશ્ચિમ બંગાળના સુંદરવનમાં રહેતા ગેંડા પરિયોજના માટે અમલી બનાવવામાં આવી છે . 

✒️ ભારતમાં રાઈનો વિઝન ’ વ્યુહરચના મુજબ - - - - ગંગાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે 

🦅  ગીધ પરિયોજના 

✒️ ગીધ એ કુદરતનો સફાઈકામદાર છે . તે મૃત ઢોરનું માંસ ખાય છે . ગીધની સંખ્યા બચાવવા .. ભારત સરકારે 2004 માં ગીધ પરિયોજના શરૂ કરી 

🦝  હિમ દીપડા પરિયોજના 

✒️હિમાલયમાં લગભગ 4000 મીટરની ઉંચાઈએ હિમ દીપડાની પ્રજાતિ વસે છે 

✒️ ભારત સરકારે ઈ.સ. 2000 માં હિમ દીપડા પરિયોજના શરૂ કરી 

🔥આ પરિયોજના ઉપરાંત કાશ્મીરી ગુલ પરિયોજના , લાલપાંન્ડા પરિયોજના , ડોલ્ફિન પરિયોજના વગેરે પરિયોજનાઓ કાર્યરત છે


☆ મુદ્દાસર જવાબ લખો 

1. જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું ? 

✒️ અહી જૈવ વિવિધતા વિશે સંશોધનો અને પ્રશિક્ષણ માટે સુવિધાઓ પુરી પાડવામાં આવે છે 

✒️ આ ક્ષેત્રનો વિસ્તાર 5000 ચોરસ કિલોમીટરથી વધારે 

✒️  તેનો મુખ્ય હેતુ ક્ષેત્રની પ્રાકૃતિક બાબતોનું સંરક્ષણ કરવાનો છે 

✒️ જૈવ આરક્ષિત ક્ષેત્રમાં બહારની તમામ ગતિવિધિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે 

✒️ આ ઉપરાંત ત્યાં થતી વનસ્પતિઓ , જીવજંતુઓ તેમજ ત્યાં વસતા માનવ સમુદાયની જીવન શૈલીનું પણ સંરક્ષણ કરવામાં આવે છે ✒️  મન્નારની ખાડી , નીલગીરી , સુંદરવન વગેરે દેશના જાણીતા જૈવ આરક્ષિત ક્ષેત્રો છે


2. ગુજરાતમાં અગાઉ ક્યાં ક્યાં વાઘ જોવા મળતાં હતા ? 

✒️ ગુજરાતમાં અગાઉ પંચમહાલ , ઈડર , ડાંગના જંગલો અને અંબાજીમાં વાઘ જોવા મળતા હતા .


3. નિર્વનીકરણની અસરો જણાવો . 

✒️ જંગલોના વિનાશની - નિર્વનીકરણની અસરો નીચે મુજબ છે 

✒️ વરસાદનું પ્રમાણ ઘટતું જાય છે 

✒️ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડની માત્રામાં વધારો થયો છે . 

✒️ અનેક વન્ય જીવો નિરાશ્રિત થયા છે 

✒️ માંસાહારી વન્ય જીવો દ્વારા જંગલોની નજીકના ક્ષેત્રમાં વસતા પશુપાલકોના પાલતુ પશુઓના મરણના બનાવો વધુ રહ્યા છે 

✒️  ગ્રીન હાઉસ ઈફેક્ટ ની અસર વધારે જોવા મળે છે - વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે 

✒️ ખેતીની ફળદ્રુપતાની સમસ્યા વધી રહી છે 

✒️ જંગલોનો વિસ્તાર ઘટ્યો છે 

✒️ દુષ્કાળના પ્રમાણમાં વધારો થયો છે 

✒️ અનેક વન્ય જીવો નિરાશ્રિત થયા છે 

✒️આમ , કેટલાક વન્ય પ્રાણીઓ લુપ્ત થયા છે


4. લુપ્ત થતા વન્યજીવન વિશે નોંધ લખો

✒️ જે પ્રાણીજાતના છેલ્લા સજીવના મૃત્યુ વિશે લેશમાત્ર શંકા ન રહી હોય એ પ્રાણી જાત “ લુપ્ત વન્યજીવ ” કહેવાય છે . 

✒️  આજે ભારતના જંગલોમાંથી ચિત્તો લુપ્ત થઈ ચુક્યો છે 

✒️  આજે અસંખ્ય વન્ય જીવો વિનાશના આરે ઉભા છે 

✒️ શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા 

✒️  એ સમયગાળામાં ગુજરાતમાં ઈડર , અંબાજી અને પંચમહાલ તથા ડાંગમાં વાઘ હતા . આજે ગુજરાતના જંગલોમાંથી વાઘની પ્રજાતિ નષ્ટ થઈ ગઈ છે 

✒️  આજે ચિત્તાની પ્રજાતિ પણ લુપ્ત થઈ રહી છે 

✒️ આ ઉપરાંત પક્ષીઓની અનેક જાતો પણ હવે ભાગ્યે જ જોવા મળે છે


☆. નીચેના પ્રશ્નનોના ઉત્તર ટૂંકમાં લખો 

1. અભ્યારણ્ય એટલે શું ? 

✒️ જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્ય જીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારો ને “ અભ્યારણ્યો ” કહેવાય છે .

2. રાષ્ટ્રીય ઉધાન એટલે છે ? 

✒️  કુદરતી વનસ્પતિ , વન્ય જીવો , કુદરતી સૌર્થના સ્થળો તેમજ મહત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટેના સુરક્ષિત કરાયેલા વિસ્તારો ને “ રાષ્ટ્રીય ઉધાનો ” કહેવાય છે .

3. ભારતમાં કયાં કયાં જળપ્લાવિત ક્ષેત્રોમાં યાયાવર પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે ? 

✒️ ભારતમાં રાજસ્થાનમાં કેવલાદેવ રાષ્ટ્રીય ભરતપુર અને ગુજરાતના નળ સરોવર જેવા જળપ્લાવિત ક્ષેત્રોમાં યાયાવર પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે .

☆ વિકલ્પ પસંદ કરી  લખો

1. ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થયેલો વન્યજીવ કયો છે ? 

( A ) ઘુડખર 

( B ) રીંછ 

( C ) વાઘ 

( D ) દીપડા


2. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ( ગ્રામ પંચાયત , નગરપાલિકા , મહાનગરપાલિકા , જિલ્લા પંચાયત ) નું નિયંત્રણ હોય તે જંગલો ...... 

( A ) ગ્રામ્ય વનો 

( B ) અભયારણ્ય 

( C ) સામુદાયિક જંગલ 

( D ) ઝૂમ જંગલો


3. વિશ્વમાં પશુ - પક્ષીઓની કુલ લગભગ કેટલી પ્રજાતિઓ છે ?

 ( A ) બાર લાખ

 ( B ) એકવીસ લાખ

 ( C ) સાત લાખ

 ( D ) પંદર લાખ


Post a Comment

0 Comments