Ad

std 10 samajik vigyan chapter 6 swadhay solution || std 10 samajik vigyan imp questions and answer

  6  ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો

           સ્વાધ્યાય સોલ્યુશન

☆ સવિસ્તર ઉત્તર લખો 

1. તાજમહેલ સ્થાપત્ય કલાનો પરિચય આપો . 

✒️ તાજમહેલ આગરામાં યમુના નદીની દક્ષિણે આવેલો છે 

✒️ શાહજહાંએ ભારતીય , ઈરાની , અરબી અને યુરોપિયન કુશળ શિલ્પીઓ રોકીને તાજમહેલનું કાર્ય કરાવ્યું હતું 

✒️ ઈ.સ. 1630 માં બેગમ મુમતાજ ની યાદમાં મુઘલ બાદશાહ શાહજહાંએ ભવ્ય તાજમહેલ બંધાવ્યો હતો 

✒️ ઈ.સ. 1631 માં તાજમહેલનું બાંધકામ શરૂ કર્યું હતું અને તે 22 વર્ષ પછી ઇ.સ. 1653 માં પૂર્ણ થયું હતું 

✒️  દુનિયાના અદ્રિતીય , બેનમૂન મકબરાઓમાં તેની ગણના થાય છે 

✒️ તાજમહેલ વિશ્વની સાત અજાયબીઓ પૈકી એક છે 

✒️  તાજમહેલ તેના સમયમાં બાંધકામ પાછળ સા SI ચાર કરોડ રૂપિયા કરતા વધારે ખર્ચ કર્યો હતો 

✒️ તાજમહેલનું નિર્માણ સંગેમરના ચબુતરા ઉપર થયેલું છે

2. ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો વિશે નોંધ લખો . 

☆ જૂનાગઢ 


✒️ જૂનાગઢના સમ્રાટ અશોકના શિલાલેખ , ખાપરા - કોડિયાની બૌદ્ધ ગુફાઓ , ઉપરકોટ , જૈન મંદિરો , અડીકડીની વાવ , બહાઉદ્દીન વઝીરની કબર વગેરે સાંસ્કૃતિક વારસાના જોવાલાયક સ્થળો છે 

✒️  જૂનાગઢમાં મણશિવરાત્રીએ દર વર્ષે ગિરનાર પર્વતની તળેટીમાં ભવનાથનો મોટો મેળો ભરાય છે 

☆ પાટણ 

✒️ સહસ્ત્રલિંગ તળાવ અને રાણીની વાવ પાટણમાં પ્રખ્યાત 

✒️ સિદ્ધરાજ જયસિંહે ઈ.સ. 1140 માં સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું 

✒️ શહેરની પ્રજાને પાણી પૂરું પાડવા માટે ભીમદેવ પ્રથમની રાણી ઉદયમતીએ વાવ બંધાવી હતી . તે રાણીની વાવના નામે ઓળખાય છે

☆ધોળાવીરા અને લોથલ 


✒️  આ બે સ્થળો સિંધુખીણની સભ્યતાના નગરો હતા 

✒️ ધોળાવીરા ગુજરાતના કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલું છે 

✒️  આજથી આશરે 5000 વર્ષ પહેલા ઘરેણાં અને મણકા બનાવવાના કારખાના હતા 

✒️  ધોળાવીરા આદર્શ નગર હતું તેમજ તાલુકાના વેપાર વાણિજ્યના કેન્દ્ર માટે જાણીતું હતું 


✒️ લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું 

✒️ લોથલ હડપ્પીય સંસ્કૃતિનું મુખ્ય બંદર હતું 

☆અમદાવાદ 

✒️  ગુજરાતનું ઐતિહાસિક શહેર છે . તે ગુજરાત નું પાટનગર હતું 

✒️ અમદાવાદમાં સરખેજનો રોજો કાંકરીયા તળાવ , રાણી ૩૫ મતિની મસ્જિદ , હઠીસિંહનાં દેરા , સીદી સૈયદની જાળી વગેરે જેવાલાયક સ્થળો છે 

✒️ ઝુલતા મિનારા સાગપુર દરવાજા બહાર આવેલા છે 

✒️ વડનગરમાં કિલ્લો , કીર્તિતોરણ જોવાલાયક સ્થાપત્યો


✒️ અરવલ્લીમાં શામળાજીનું મંદિર જોવાલાયક સ્થળ છે ગાંધીનગરમાં અડાલજની વાવ , અમદાવામાં દાદા હરીની વાવ , પાટણની વાવ , જૂનાગઢની અડીકડીની વાવ વગેરે સ્થળોએ વાવો આવેલી છે 

✒️ ભાવનગર જિલ્લામાં પાલિતાણાના શેત્રુંજય પર્વત પર અનેક જૈન દેરાસરો આવેલા છે

3. દિલ્લીના લાલ કિલ્લા વિશે નોંધ લખો .

✒️ ઈ.સ. 1638 માં દિલ્લીમાં મુઘલ બાદશાહ શાહજહાંએ લાલા કિલ્લો બંધાવ્યો હતો 

✒️ તેમાં અધતન સુરક્ષાની પદ્ધતિઓનો પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે 

✒️ શાહજહાંએ આ કિલ્લાની અંદર પોતાના નામ પરથી ‘ શાહજહાનાબાદ ' નામનું નગર વસાવ્યું હતું 

✒️  આ કિલ્લાને કમાન આકારના બે ઘુમ્મટો અને બે પ્રવેશ દ્વારો છે 

✒️ શાહજહાંએ દીવાન - એ - ખાસમાં બેસવા માટે સોનાનું કલાત્મક મયુરાસન બનાવ્યું હતું - દીવા-એ- ખાસ ને કલાત્મક , સોના - ચાંદીથી મઢવામાં આવી હતી . 

✒️  દર વર્ષે 15 ઓગસ્ટના રાઠક્કીય તહેવારના દિવસે ભારત સરકાર તરફથી લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે 

✒️ ઈરાનના નાદીર શાહે દિલ્લી પર ચઢાઈ કરી ત્યારે તે મયુરાસન ઈરાન સાથે લઈ ગયો હતો


⤵️ મુદાસર ઉત્તર

1.  હમ્પી નગરની સ્થાપત્ય કલાનો પરિચય આપો . 

✒️ હમ્પી કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લાના હોસપેટ તાલુકાના તુંગભદ્રા નદીના કિનારે આવેલું શહેર છે 

✒️  14 મી સદીમાં વિજયનગરની રાજધાનીનું શહેર હતું 

✒️ હમ્પી કૃષ્ણદેવરાયના સમય દરમિયાન સ્થાપત્ય શૈલી સર્વોચ્ચ શિખરે પહોંચી હતી 

✒️  તેમાં વિઠ્ઠલ મંદિર અને હજારા રામમંદિર મુખ્ય છે . 

✒️  વિજયનગરના શાસકોએ બંધાવેલા વિરૂપાક્ષમંદિર , શ્રીકૃષ્ણનું મંદિર વગેરે નગરની સ્થાપત્યકલાના શ્રેષ્ઠ ઉદાહરણો છે 

✒️  તેની સ્તંભાવલીઓ પર દેવો , પશુઓ , નર્તકીઓ , યોદ્ધાઓ વગેરેના સુંદર ચિત્રો કંડારવામાં આવ્યા છે


2. ખજુરાહોના મંદિરનો પરિચય આપો . 

✒️ મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના ખજૂરાણે નામના સ્થળે આવેલા છે 

✒️ ચંદેલ રાજાઓએ શી કુલ - 80 મંદિરોનું નિર્માણ કર્યું હતું , તેમાંથી માટે આજે 25 મંદિરો જ હયાત છે 

✒️ખજૂરાહો બુંદેલખંડના રાજપૂતોની રાજધાનીનું નગર હતું 


✒️ તેમાં ચોસઠ યોગિનીનું મંદિર મુખ્ય હતું 


✒️ બધા મંદિરોની રચના , શિલ્પ વિધાન લગભગ સમાન છે 

✒️ આ મંદિરો ઉત્તર ભારતની નાગર શૈલીનો ઉત્તમ નમૂનો છે 

✒️ દેશ - વિદેશના હજારો પ્રવાસીઓ ખજૂરાહોના , શિલ્પ , સ્થાપત્યો , મૂર્તિકણ , વાસ્તુકલા જોઈને આશ્ચર્યચકિત થઈ - જાય છે .

✒️ આ મંદિરો ગ્રેનાઈટ પથ્થરોના બનાવેલા છે

3.  કોર્ણાકનાં સૂર્ય મંદિર વિશે નોંધ લખો . 

✒️  13 મી સદીમાં ગંગ વંશના રાજા નરસિંહ વર્મન પ્રથમના . સમયમાં આ મંદિરનું નિર્માણ થયું હતું 

✒️ કોર્ણાકનું સૂર્યમંદિર ઓડિશા રાજ્યના જગન્નાથપુરી જિલ્લાના બંગાળના અખાતના દરિયાકિનારે આવેલું છે 

✒️ આ મંદિર કાળા પથ્થરનું બનાવેલું હોવાથી ‘ કાળા પેગોડા ’ ના નામે ઓળખાય છે આ રથને આધાર બક્ષના 12 મોટા પૈડાં છે . તે વર્ષના બાર મહિનાના પ્રતીકો સૂચવે છે . દરેક પૈડાંને આઠ આરા છે . તે દિવસના આઠ પ્રહાર દર્શાવે છે સમગ્ર મંદિરને સાત અશ્વોથી ખેંચતા સૂર્યના રથનું સ્વરૂપ આપવામાં આવ્યું છે 

✒️ મંદિરમાં દિવ્ય , સાંસારિક અને સજાવટી એમ ત્રણેય પ્રકારના શિલ્પો છે 

✒️ શિલ્પકલાની દ્રષ્ટિએ કોર્ણાકનું સૂર્યમંદિર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે 

4.  બૃહદેશ્વર મંદિરનો પરિચય આપો . 

✒️ બૃહદેશ્વર મંદિર ઈ.સ. 1003 થી 1010 ના સમયગાળા દરમિયાન ચૌલ વંશના રાજા પ્રથમે બંધાવ્યું હતું 

✒️ બૃહદેશ્વર મંદિર તમિલનાડુ રાજ્યના તોજોરમાં આવેલું છે 

✒️ આ મંદિર દેવાધિદેવ શિવનું છે 

✒️ આ મંદિર રાજરાજ પ્રથમે બંધાવ્યું હોવાથી તેને ‘ રાજરાજેશ્વર મંદિર ' ના મને ઓળખવામાં આવે છે 

✒️ શિવ મહાદેવ ગણના હોવાથી આ મંદિરનું નામ બૃહદેશ્વર રાખવામાં આવ્યું છે 

✒️ આ મંદિરનું નિર્માણ દ્રવિડ શૈલીમાં થયું છે 

✒️ ભવ્ય શિખર , વિશાળ કદ અને કલાત્મક સુશોભનને કારણે આ ભારતીય સ્થાપત્યનો અદ્વિત્ય વારસો છે 

✒️  આ મંદિરની લંબાઈ 500 ફૂટ અને પહોળાઈ 250 ફૂટ છે . તેનું શિખર જમીનથી લગભગ 200 ફૂટ ઉંચુ છે 

✒️ બૃહદેશ્વર મંદિર દક્ષિણ ભારતના ભવ્ય મંદિરોમાં સ્થાન ધરાવે છે

5. ફતેહપુર સિકરી વિશે નોંધ લખો . 

✒️ મુઘલ બાદશાહ અકબરે ઉત્તર પ્રદેશમાં આગરાની પશ્ચિમે 26 માઈલ દૂર સૂકી સંત સલીમ ચિરતીની યાદમાં ‘ ફતેહપુર સિક્રી ’ નામનું નવું નગર વસાવ્યું હતું 

✒️ મુઘલ બાદશાહ અકબરે આ નગરને નવી રાજધાની બનાવી હતી 

✒️  ફતેપુર સિકરીમાં નવરત્નો , કલાકારો , વિદ્વાનો વગેરેને આશ્રય આપ્યો હતો 

✒️ બુલંદ દરવાજો 41 મીટર પહોળો અને 50 મીટર ઉંચો છે 

✒️ તે દુનિયાનો સૈથી ભવ્ય દરવાજો છે ઈ.સ. 1569 માં ફતેહપુર સિકરીમાં ઈમારતો બાંધવાનું કાર્ય શરૂ થયું હતું . ઈ.સ. 1572 સુધીમાં કાર્ય પૂર્ણ થયું હતું 

✒️ અહીંની અન્ય જાણીતી ઈમારતોમાં જોધાબાઈનો મહેલ , પંચમહાલ , દીવાને - આમ , દીવાને - ખાસ વગેરેનો સમાવેશ થાય છે 

✒️ ફતેહપુરનો અર્થ વિજયનું નગર ' એવો થાય છે

⤵️ ટૂંકમાં ઉત્તર લખો

1. ઇલોરાના કૈલાસ મંદિરનો ટૂંકમાં પરિચય આપો .


✒️ કૈલાશ મંદિર ઇલોરાની 16 નંબરની ગુફામાં આવેલું છે 

✒️ આ મંદિરનું નિર્માણ રાષ્ટ્રકૂટ રાજાઓએ કરાવ્યું હતું 

✒️ તેની લંબાઈ 50 મીટર , પહોળાઈ 33 મીટર અને ઉંચાઈ 30 મીટર છે


2. એલિફન્ટાની ગુફાઓ વિશે ટૂંકમાં માહિતી આપો .

 

✒️ એલિફન્ટાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયાથી ઉત્તર - પૂર્વ દિશામાં 12 કિમી દૂર અરબ સાગરમાં આવેલી છે 

✒️ પોર્ટુગીઝો અરબ સાગરમાં આ દ્વિપ પર હાથીની પથ્થર નિર્મિત એક વિશાળ આકૃતિ હતી 

✒️ આ આકૃતિ જોઈ તેમણે આ દ્વીપનું નામ ‘ એલિફન્ટા ’ અપાયું હતું


3. કુતુબમિનાર વિશે લખો .


✒️  કુતુબમિનાર દિલ્હીમાં આવેલો છે . તે ભારતનું ભવ્ય અને ખ્યાતનામ ઐતિહાસિક સ્મારક છે 

✒️ 12 મી સદીના અંત ભાગમાં ગુલામ વંશના પ્રથમ સુલ્તાન ‘ કુતુબદીન ઐબક ' કુતુબમિનારનું બાંધકામ શરૂ કર્યું હતું 

✒️ કુતુબદીનના અવસાન થતા તેના જમાઈ ‘ ઈલ્તુમિશે ’ તેનું બાંધકામ ઈ.સ. 1210 માં પૂર્ણ કરાવ્યું હતું

4. ગોવાનાં દેવળો વિશે લખો . 

✒️  16 મી સદીમાં પોર્ટુગીઝો ગોવામાં કોઠીઓ સ્થાપી હતી . તેમણે ગોવાને રાજધાની બનાવી હતી 

✒️  તેથી ગોવામાં નાના - મોટા અનેક ખ્રિસ્તી દેવળો સ્થપાયા 

✒️ કેથલિક સંપ્રદાયના મહાન ખ્રિસ્તી સંત ફ્રાન્સિસ ઝેવિયર ભારત આવ્યા હતા . તેમણે ગોવાને પોતાની પ્રવૃતિઓનું વડું મથક બનાવ્યું છે

5. અમદાવાદમાં આવેલ સાંસ્કૃતિક વારસાના સ્થળોની યાદી બનાવો . 

✒️ ( 1 ) ભદ્રનો કિલ્લો ( 2 ) જામા મસ્જિદ ( 3 ) રાણી સિપ્રીની મસ્જિદ ( 4 ) સરખેજનો રોજો ( 5 ) કાંકરિયા તળાવ ( 6 ) સિદી સૈયદની જાળી ( 7 ) હઠીસિંગના દેરા ( 8 ) દાદા હરિની વાવ ( 9 ) બાદશાહનો હજીરો ( 10 ) રાણીની હજીરો


6. પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે .

✒️  ભારતમાં ચાર ધામની યાત્રા મહત્વની ગણાય છે 

✒️ આ ઉપરાંત 51 શક્તિપીઠો અને જમ્મુ - કાશ્મીરમાં આવેલો અમરનાથ તથા વૈષ્ણવ દેવીની યાત્રા ખુબ મહત્વની મનાય છે 

✒️ આ ઉપરાંત , શેત્રુંજય અને નર્મદાની પરિક્રમા પવિત્ર ગણાય છે 

✒️  આથી , પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે


⤵️ વિકલ્પો

1. અજંતાની ગુફાઓ નીચેનામાંથી ક્યા રાજ્યમાં આવેલી છે ? 

 ( A ) મધ્યપ્રદેશ

 ( B ) મહારાષ્ટ્ર

 ( C ) ઓડિશા

 ( D ) ગુજરાત 

2. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી . 

( A ) ઇલોરાની ગુફાઓમાં કૈલાસ મંદિર આવેલું છે 

( B ) ઈલોરામાં કુલી 34 ગુફાઓ આવેલી છે 

( C ) રાષ્ટ્રકુટ રાજાઓના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું 

( D ) ઈલોરાની ગુફાઓને ચાર ભાગમાં વહેંચવામાં આવી છે

3. જોડકા જોડી સાચો ક્રમ પસંદ કરો :

  ( 1 ) કોર્ણાકનું સૂર્ય મંદિર. ( D ) ઓડિશા

  ( 2 ) વિરૂપાક્ષનું મંદિર પટ્ટદકલ- ( C ) કર્ણાટક 

  ( 3 ) બૃહદેશ્રવર મંદિર-  ( B ) તમિલનાડુ 

  ( 4 ) ખજુરાહોનું મંદિર-  ( A ) મધ્યપ્રદેશ

➡️ સામ-સામે જોડેલા છે

4. તાજમહેલ : શાહજહાં : હુમાયુનો મકબરો : ........

 ( A ) જહાંગીર

 ( B ) હુમાયુ

 ( C ) હમીદા બેગમ 

 ( D ) શાહજહો

5. ફતેહપુર સિકરી નગરની સ્થાપના કોને કરી હતી ?

 ( A ) હુમાયું 

 ( B ) શાહજહો

  ( C ) બાબર

  ( D ) અકબર

6. ભારતના આ ઐતિહાસિક સ્થળોને ઉત્તરથી દક્ષિણના ક્રમમાં ગોઠવતા ક્યો ક્રમ સાચો ગણાય ? 

( A ) તાજમહેલ , ખજુરાહોના મંદિર , બૃહદેશ્વર મંદિર , ઈલોરાની ગુફાઓ 

( B ) ઇલોરાની ગુફાઓ , તાજમહેલ , ખજુરાહોના મંદિર , ઈલોરાની ગુફાઓ

 ( C ) તાજમહેલ , બૃહદેશ્વર મંદિર , ખજુરાહોના મંદિર , ઈલોરાની ગુફાઓ 

( D ) તાજમહેલ , ખજુરાહોના મંદિર , ઇલોરાની ગુફાઓ , બૃહદેશ્વર મંદિર

7. નીચેનામાંથી સાચું જોડકું જોડી સાચો ક્રમ પસંદ કરો  

( 1 ) ઉપરકોટ                   ( D ) જૂનાગઢ

( 2 ) સિદી સૈયદની જાળી.   ( A ) અમદાવાદ

( 3 ) રાણીની વાવ.             ( B ) પાટણ

( 4 ) ધોળાવીરા.                 ( C ) ખદીરબેટ   

☞ સાચા જવાબ સામે આપેલ છે 

8. નીચેનામાંથી ક્યો વાવનો પ્રકાર નથી .

 ( A ) નંદા 

 ( B ) ભદ્રા

 ( C ) તદા 

 ( D ) વિજ્યા 


Post a Comment

0 Comments