5. ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલૉજીનો વારસો
સ્વાધ્યાય સોલ્યુશન
⤵️સવિસ્તાર ઉત્તર
1. પ્રાચીન ભારતનું ધાતુવિધામાં પ્રદાન જણાવો .
✒️ આ સમયમાં તૈયાર થયેલું મહાદેવ નટરાજનું જગવિખ્યાત શિલ્પ પ્રાચીન ભારતની ધાતુ વિધાનો શ્રેષ્ઠ નમૂનો છે
✒️ આ શિલ્પ આજે ચેન્નઈના સંગ્રહાલયમાં સંગ્રહિત છે
✒️ 10 મી અને 11 મી સદીથી ભારતમાં ધાતુ શિલ્પો બનાવવાની કલા પુરજોશમાં શરૂ થઈ . દક્ષિણ ભારતમાં ચોલ રાજાઓના સમય દરમિયાન ખુબ મોટી સંખ્યામાં ધાતુ શિલ્પો તૈયાર થયા
✒️ પ્રાચીન ભારતની સિંધુખીણની સંસ્કૃતિના અવશેષોમાંથી કાંસાની નર્તકીની પ્રતિમાં મળી આવી છે
✒️ ધાતુઓમાંથી બનાવેલા કલાત્મક દેવ - દેવીઓ , પશુ પંખીઓ , હીંચકાની સાંકળો , સોપારી કાપવાની વિવિધ પ્રકારની મૂડીઓ , કલાત્મક દીવીઓ વગેરે ધાતુ શિલ્પોમાં મહત્વના ગણાય છે .
✒️ કુષાણ વંશના રાજાઓના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ તક્ષશિલામાંથી પ્રાપ્ત થઈ છે
2. પ્રાચીન ભારતે રાસાયણવિધામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો
✒️ નાલંદા વિધાપીઠે રસાયણવિધાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની સ્વતંત્ર રસાયણશાળા તથા ભઠ્ઠીઓ બનાવી હતી
✒️ તેમણે ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે . તેમણે ‘ રસરત્નાકર ’ અને ‘ આરોગ્યમંજરી ' નામના પુસ્તકો લખ્યા છે
✒️ બિહારના ભાગલપુર જિલ્લાના સુલતાનગંજમાંથી મળી આવેલી 7 % ફૂટ ઊંચી 1 ટન વજનની બુદ્ધની તામ્રમૂર્તિ તથા નાલંદામાંથી પ્રાપ્ત થયેલી 18 ફૂટ ઊંચી તાંબાની બુદ્ધ પ્રતિમા પ્રાચીન ભારતમાં રસાયણવિધામાં થયેલી અસાધારણ પ્રગતિના શ્રેષ્ઠ નમૂના છે
✒️ રસાયણશાસ્ત્રના ગ્રંથોમાં મુખ્ય રસ , ઉધરસ , હસ પ્રકારના વિષ તેમજ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓની ભસ્મનું વર્ણન કરવામાં આવ્યું છે
✒️ ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ દિલ્લીમાં મહરોલી પાસે 24 ફૂટ ઊંચો અને 7 ટન વજનનો એક વિજયસ્તંભ ઊભો કરાવ્યો હતો આજદિન સુધી ટાઢ - તડકો અને વરસાદ જીલ્યાં છતાં તેને જરા પણ કાટ લાગ્યો નથી . તે રસાયણવિધાની એક આશ્ચર્યજનક બાબત છે .
✒️ પારાની ભસ્મ કરીને તેને ઔષધ તરીકે વાપરવાની શરૂઆત આચાર્ય નાગાર્જુને ચાલુ કરી હોય તેમ મનાય છે
✒️ નાલંદા વિધાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધિઓની સાથે રસાયણ - ઔષધો વાપરવાની ભલામણ કરી હતી
3. વૈદકવિધા અને શલ્યચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ જણાવો .
✒️ મહાન વૈદકશાસ્ત્રી મહર્ષિ સુશ્રુતે તેમના ‘ સુશ્રુતસંહિતા ' નામના ગ્રંથમાં શલ્યચિકિત્સા માટેના ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો છે , જે માથાના વાળને ઊભો ચીરીને ભાગ કરી શકતા હતા
✒️ તેઓ તૂટેલા કાન કે નાકને સ્થાને નવા નાક - કાના સાંધવાની પ્લાસ્ટિક સર્જરી જાણતા હતા
✒️ ભારતના વૈદકશાસ્ત્રીઓ પ્યાલા આકારનો પાટો બાંધીને રક્તનું પરિભ્રમણ અટકાવીને વાઢકાપ કરતા - ભારતીય વૈદક્શાસ્ત્રના પ્રણેતાઓ મહર્ષિ ચરકે , મહર્ષિ સુશ્રુતે અને વાગભટ્ટે પોતાના સંશોધનથી વૈદકશાસ્ત્રમાં અભૂતપૂર્વ સિદ્ધિઓ મેળવી હતી
✒️ વૈદકશાસ્ત્રમાં મહાન પ્રણેતા મહર્ષિ ચરકે ચરકસંહિતા નામના ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિ ઔષધિઓનું વર્ણન કર્યું
✒️ વૈદક્શાસ્ત્રના મહાન લેખક વાગભટ્ટ ‘ અષ્ટાંગહદય ’ જેવા અનેક ગ્રંથો લખીને નિદાનની બાબતમાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો
✒️ પ્રાચીન ભારતના હિન્દુઓનું ઔષધશાસ્ત્ર ખનીજ વનસ્પતિ જ પ્રાણીજ ઔષધિઓનો વિપુલ ભંડાર છે . તેમાં દવા બનાવવાની ઝીણવટભરી વિધિઓ તેમજ દવાઓનું વર્ગીકરણ અને તેમનો ઉપયોગ કરવા માટેના સૂચનો આપવામાં આવ્યા છે
✒️ તેઓ રોગોના કારણો અને ચિહનોનું વર્ગીકરણ કરતા . તેઓ રોગોનું નિદાન કરતા અને રોગો મટ્યા પછી પાળવાની પરેજી આપતા
✒️ તેઓ ભાંગેલા અને ઊતરી ગયેલા હાડકા બેસાડી દેતા તેમજ શરીરમાં ઘુસી ગયેલા બહારના પદાર્થોની કુશળતાપૂર્વક બહાર ખેચી કાઢતા
✒️ તેઓ વાઢકાપના હથિયારો બનાવતા તેમજ મીણના પૂતળાના અથવા મૃત શરીરના વાઢકાપ દ્વારા તેઓ વિધાર્થીઓને ઓપરેશનનું પ્રત્યક્ષ જ્ઞાન આપતા .
✒️ પ્રસુતિ વેળા જોખમી ઓપરેશનો પણ કરતા તેઓ અચકાતા નહીં તેઓ સ્ત્રીઓ અને બાળકોના રોગોના નિષ્ણાત હતા
4. પ્રાચીન ભારતે વિજ્ઞાનના ક્ષેત્રે આપેલો વારસો જણાવો .
✒️ આજના પાશ્ચાત્ય દેશોએ વૈજ્ઞાનિક અને ટેકનિકલ ક્ષેત્રે મેળવેલી લગભગ બધી જ સિદ્ધિઓના મૂળમાં પ્રાચીન ભારતના વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતોનો ઉપયોગ થયેલો જોવા મળે છે
✒️ ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે સિંહફાળો આપ્યો છે . અર્વાચીન યુગના સંશોધનો દ્વારા સિદ્ધ થયું છે કે ભારત આધ્યાત્મિક વિચારધારાની સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ ધરાવે છે
✒️ ધાતુવિધા , રસાયણશાસ્ત્ર , ગણિતશાસ્ત્ર , ખગોળશાસ્ત્ર , વૈદકશાસ્ત્ર , શાલયચિકિત્સા , ભૌતિકશાસ્ત્ર , વાસ્તુશાસ્ત્ર વગેરે વિજ્ઞાનોમાં પ્રાચીન ભારતે નોંધપાત્ર પ્રગતિ સાધીને વિશ્વને તેનો અમૂલ્ય વારસો આપ્યો છે
✒️ આ પરથી સ્પષ્ટ થાય છે કે પ્રાચીન ભારતે વિજ્ઞાનના ક્ષેત્રે પોતાનો નોંધપાત્ર વારસો આપ્યો છે
⤵️ મુદાસર ઉત્તર
1. પ્રાચીન ભારતે ગણિતશાસ્ત્રમાં સાધેલી પ્રગતિ વિશે નોંધ લખો .
✒️ આર્યભટ્ટને ગણિતના પિતા ' કહેવામાં આવે છે
✒️ આર્યભટ્ટે તેમના ગ્રંથોમાં ભાગાકારની આધુનિક પદ્ધતિ , ગુણાકાર , ભાગાકાર , સરવાળા , બાદબાકી , વર્ગમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિની માહિતી આપી છે
✒️ ' ગૃત્સમદ ' નામના ઋષિએ અંકની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયા શોધી હતી
✒️ ગણિતશાસ્ત્રી બોધાયને અને કાત્યાયને પોતાના ગણિતશાસ્ત્રના વિવિધ પાસા વિશે ચર્ચા કરી હતી
✒️ ગણિતશાસ્ત્રી આપખંભે શાલ્વસૂત્રો માં વિવિધ વૈદિક યજ્ઞો માટે આવશ્યક વિવિધ વેદીઓના પ્રમાણ નક્કી કર્યા હતા
✒️ પ્રાચીન ભારતમાં ગણિતશાસ્ત્ર ક્ષેત્રે નીચે પ્રમાણે કેટલીક શકવર્તી શોધો થઈ હતી
✒️ ભારતે વિશ્વને શૂન્ય ની સંજ્ઞાની , દશાંશ- પદ્ધતિની , બીજગણિત , રેખાગણિત અને વૈદિક ગણિતની તથા બોધાયનનો પ્રમેય
✒️ આર્યભટ્ટ ‘ દસગીતિકા ’ અને ‘ આર્યસિદ્ધાંત ’ નામના ગ્રંથો લખ્યા હતા
✒️ પ્રાચીન ભારતના ગણિતશાસ્ત્રીઓએ 1 ની પાછળ 53 શૂન્ય મુકવાથી બનતી સંખ્યાઓના નામ નક્કી કર્યા હતા
✒️ ઈ.સ. 1150 માં મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યે ‘ લીલાવતી ગણિત ’ નામનો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો . તેમણે + અને - ની શોધ કરી હતી
✒️ ગણિતશાસ્ત્રી બ્રહગુપ્ત સમીકરણના પ્રકારોની શોધ કરી હતી
✒️ મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે શૂન્યની સંજ્ઞાની અને દશાંશ પદ્ધતિની શોધ કરી હતી . તેમણે તેમના ‘ આર્યભટ્ટીયમ ’ ગ્રંથમાં ની π કિંમત 227 ( 3.14 ) જેટલી થયા છે . એવું જણાવ્યું હતું .
✒️ તેમણે પ્રતિપાદન કરેલું છે કે ગોલકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચલાંક છે
2. ટૂંકનોંધ લખો : પ્રાચીન ભારતનું ખગોળશાસ્ત્ર .
✒️ પ્રાચીન ભારતે ખગોળવિધામાં આપેલું પ્રદાન નીચે મુજબ છે
✒️ મહાન ખગોળવેત્તા અને જ્યોતિષશાસ્ત્રી વરાહમિહિરે પોતાના પંચસિદ્ધાંતિક ' નામના ગ્રંથમાં જ્યોતિષ અને ખગોળશાસ્ત્ર વિશે પ્રમાણભૂત માહિતી આપી હતી
✒️ ભારતની પ્રાચીન વિધાપીઠોમાં ખગોળશાસ્ત્રનો પદ્ધતિસર અને ઊંડો અભ્યાસ કરવામાં આવતો હતો .
✒️ ગુપ્તયુગના મહાન ખગોળશાસ્ત્રી આર્યભટ્ટ સૌપ્રથમ પ્રતિપાદિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણ પૃથ્વીના પડછાયા વડે થાય છે
✒️ બ્રહ્મગુપ્ત નામના વૈજ્ઞાનિકે ‘ બ્રહસિદ્ધાંત ’ નામનો ગ્રંથ રચ્યો હતો . તેમાં તેમણે ગુરુત્વાકર્ષણના નિયમો દર્શાવ્યા હતા
✒️ ગ્રહો પરથી રાશિફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું
✒️ ખગોળવિજ્ઞાનક્ષેત્રે આર્યભટ્ટનું મહત્વનું યોગદાન છે તેથી ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ ‘ આર્યભટ્ટ ' રાખવામાં આવ્યું છે
✒️ બધાં શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન શાસ્ત્ર છે
✒️ ગ્રહો અને તેમની ગતિ , નક્ષત્રો અને અન્ય અવકાશી ગ્રહો વગેરે પરથી ગણતરી કરીને ખગોળને લગતી માહિતી એકત્રિત કરવામાં આવતી હતી
3. જ્યોતિષશાસ્ત્રમાં ભારતનું પ્રદાન જણાવો .
✒️ જ્યોતિષશાસ્ત્રના ક્ષેત્રે આપેલું પ્રદાન નીચે પ્રમાણે છે
✒️ તેમણે આ ગ્રંથમાં મનુષ્યના લક્ષણો અને પ્રાણીઓના જુદા જુદા વર્ગો વિશે તેમજ લગ્નસમય , તળાવો અને કૂવાઓ ખોદાવવા , બગીચા બનાવવા વગેરે પ્રસંગોના શુભ મુહૂર્તોની માહિતી આપી છે
✒️ વરાહમિહિરે તેમના ‘ બૃહદ્દસંહિતા ’ નામના ગ્રંથમાં આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર થતી અસરો જણાવી છે - વરાહમિહિર મહાન ખગોળવેત્તા અને જ્યોતિષશાસ્ત્રી હતા , જેમણે જ્યોતિષશાસ્ત્રને ‘ તંત્ર ' , હોરા ’ અને ‘ સંહિતા ' એમ ત્રણ ભાગોમાં વહેચ્યું હતું
✒️ આમ , જ્યોતિષશાસ્ત્રમાં ભારતનું પ્રદાન અપ્રતિમ છે
4 વાસ્તુશાસ્ત્રમાં કઈ માહિતીનો સમાવેશ થાય છે ?
✒️ વાસ્તુશાસ્ત્રમાં રહેઠાણની જગ્યા , મંદિર , મહેલ , અશ્વશાળા , કિલ્લા , શાસ્ત્રમાર , નગર વગેરેની રચના કેવી રીતે કરવી અને કઈ દિશામાં કરવી એ માહિતીનો સમાવેશ થાય છે
⤵️એક-બે વાક્યમાં ઉત્તર
1. વિજ્ઞાન અને ટેકનોલોજી એટલે શું
✒️ વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેક્નોલોજી એટલે વિજ્ઞાનની વ્યવારિક ઉપયોગીતા
2. રસાયણવિધા ક્ષેત્રે નાગાર્જુને આપેલું પ્રદાન જણાવો .
✒️ તેમણે વનસ્પતિ ઔષધોની સાથે રસાયણ - ઔષધો વાપરવાની ભલામણ કરી હતી
✒️ પારાની ભસ્મ કરીને તેને ઔષધ તરીકે વાપરવાનો સૌપ્રથમ પ્રયોગ તેમણે જ ચાલુ કર્યો હોય તેમ મનાય છે
✒️ આચાર્ય નાગાર્જુન ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય હતા . તેમણે ‘ રસરત્નાકર ' અને ‘ આરોગ્યમંજરી ’ નામના ગ્રંથો લખ્યા હતા
3. ગણિતશાસ્ત્ર ક્ષેત્રે આર્યભટ્ટે કરેલ શોધો વિશે નોંધ લખો .
✒️ જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોની શોધ
✒️ ભાગાકાર , ગુણાકાર , સરવાળા , બાદબાકી , વર્ગમૂળ , ઘનમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિની શોધ
✒️ શૂન્યની શોધ
πની કિંમત 22/7 ( 3.14 ) જેટલી થયા છે તેની શોધ
✒️ગોલકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચલાંક છે તેની શોધ
4. જ્યોતિષશાસ્ત્ર કેટલા વિભાગોમાં વહેચાયેલું છે ?
✒️ ત્રણ
5. વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓના નામ આપો .
✒️ બ્રણા , નારદ , બૃહસ્પતિ , ભૃગુ , વશિષ્ઠ , વિશ્વકર્મા વગેરે
☆ વિકલ્પ
1. કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ ક્યુ છે ?
( A ) બુદ્ધનું
( B ) નટરાજનું
( C ) બોધિગયાનું
( D ) ધનુર્ધારી રામનું
2. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?
( A ) નાગાર્જુનને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે
( B ) પારાની ભષ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની પ્રથા નાગાર્જુને શરૂ કરી
( C ) રસાયણશાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન નથી
( D ) ધાતુઓની ભસ્મનું વર્ણન રસાયણશાસ્ત્રોના ગ્રંથોમાં જોવા મળે છે
3. મહર્ષિ ચરક : ચરક સંહિતા , મહર્ષિ સુશ્રુત :..........
( A ) સુશ્રુતસંહિતા
( B ) ચરકશાસ્ત્રી
( C ) વાગભટ્ટસંહિતા
( D ) સુશ્રુતશાસ્ત્રી
4. કોઈ શાળામાં એક વર્ગના કેટલાક વિધાર્થીઓ ગણિતશાસ્ત્ર વિશે ચર્ચા કરે છે . તેમાંથી કોણ સાચું બોલે છે ?
શ્રેયા : ભાસ્કરાચાર્યે ' લીલાવતી ગણિત ’ અને બીજગણિત ’ નામના ગ્રંથ લખ્યા
યશ : દશાંશપદ્ધતિના શોધક બોધાયન હતા .
માનસી : આર્યભટ્ટને ગણિતશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે
હાર્દ : શૂન્ય ( 0 ) ની શોધ ભારતે કરી હતી
( A ) યશ
( B ) હાદૅ
( C ) શ્રેયા
( D ) શ્રેયા , માનસી ,હાદૅ
5. બ્રાભ્રવ્ય પાંચાલે રચેલો ગ્રંથ ..... છે .
( A ) ચિકિત્સાસંગ્રહ
( B ) પ્રજનનશાસ્ત્ર
( C ) કામસૂત્ર
( D ) યંત્ર સર્વસ્વ
6. પ્રાચીન ભારતમાં ગુરુત્વાકર્ષણના નિયમને પ્રચલિત કરનાર પ્રણાલિ બ્રમસિદ્ધાંતની રચના કોણે કરી હતી ?
( A ) બ્રહ્મગુપ્ત
( B ) વાસ્યાયને
( C ) ગૃત્સમદે
( D ) મહામુનિ પતંજલિ
7. મંદિર , મહેલ , અશ્વશાળા , કિલ્લા ઈત્યાદિની રચના કેવી રીતે કરવી , કઈ દિશામાં કરવી તેના સિદ્ધાંત દર્શાવતું શાસ્ત્ર નીચેનામાંથી જણાવો .
( A ) ગણિતશાસ્ત્ર
( B ) રસાયણશાસ્ત્રી
( C ) વૈદકશાસ્ત્ર
( D ) વાસ્તુશાસ્ત્રી