Ad

std 10 samajik vigyan chapter 10 swadhay solution || social science imp questions std 10

         10.  ભારત : કૃષિ         

                 સ્વાધ્યાય સોલ્યુશન

☆ સવિસ્તર ઉત્તર લખો 

1. કૃષિના પ્રકારો વિશે નોંધ લખો . 

✒️  ભારતમાં ખેતીના મુખ્ય છ પ્રકારો છેઓ

 ( 1 ) જીવન નિર્વાહ ખેતી 

 ( 2 ) સૂકી ખેતી 

 ( 3 ) આર્દ્ર ખેતી 

 ( 4 ) સ્થળાંતરિત ખેતી 

 ( 5 ) બાગાયતી ખેતી 

 ( 6 ) સઘન ખેતી 


( 1 ) જીવન નિર્વાહ ખેતી 

✒️  જે ખેતીનું ઉત્પાદન થયા બાદ ખેડૂતોના ભરણપોષણમાં વપરાય જાય તેને જીવન નિર્વાહ કે આત્મા નિર્વાહ ખેતી ' કહેવાય છે 

✒️  ગરીબીને કારણે તેમને ખેતીના આધુનિક ઓજારો , મોંઘા બિયારણો , ખાતરનો ઉપયોગ કરવો પરવડતો નથી 

✒️  ભારતના મોટા ભાગના ખેડૂતો પાસે નાની જમીન છે . નાના ટુકડાઓમાં સિંચાઈની અપૂરતી સગવડ હોય છે 

✒️ આથી અનાજનું ઉત્પાદન પોતાના કુટુંબના ઉપયોગ જેટલું જ થાય છે અને તે તેના ઘરખર્ચમાં વપરાય જાય છે . 

✒️ આથી તેને જીવન નિર્વાહ ખેતી કહેવય છે 

( 2 ) સૂકી ખેતી :

✒️  જ્યાં વરસાદ ઓછો પડે છે . સિંચાઈની સગવડો પણ અલ્પ છે તેવા વિસ્તારોમાં સૂકી ખેતી ’ કરવામાં આવે છે 

✒️ અહીં જુવાર , બાજરી અને કઠોળ જેવા પાકની ખેતી થાય છે . 

✒️ ગુજરાતમાં ભાલ પ્રદેશમાં ચોમાસામાં ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે 

✒️ આ ખેતીનો આધાર જમીનમાં સાચવતા ભેજ પર રહેલો હોવાથી વર્ષમાં માત્ર એક જ પાક લઈ શકાય છે 

( 3 ) આદ્ર ખેતી : 

✒️ જ્યાં વધુ વરસાદ પડે છે અને સિંચાઈ સગવડ છે ત્યાં આદ્ર ખેતી થાય છે 

✒️  અહીં કપાસ , ઘઉં , શાકભાજી , ડાંગર વગેરેની ખેતી થાય છે વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા એક કરતા વધુ પાક લઈ શકાય છે 

( 4 ) સ્થળાંતરિત ખેતી : 

✒️ ગીચ જંગલોમાં આ પ્રકારની ખેતી કરવામાં આવે છે 

✒️ અહીં મોટા ભાગે ધાન્ય પાકો અને શાકભાજી ની ખેતી થાય છે 

✒️ તેમાં જંગલોના વૃક્ષો કાપીને કે બાળીને ત્યારબાદ તેમાં ખેતી કરવામાં આવે છે - બે - ત્રણ વર્ષ બાદ બીજા વિસ્તારમાં ખેતી કરવામાં આવે છે તેને સ્થળાંતરિત અથવા ઝૂમ ખેતી પણ કહે છે 

✒️ આ ખેતીમાં હેકટર દીઠ ઉત્પાદન ઓછું થાય છે 

( 5 ) બાગાયતી ખેતી : 

✒️ લાંબા સમય સુધી ઉત્પાદન આપતા પાકોની ખેતી કરવા માટે બગીચા અને વાડીઓનો ઉપયોગ કરવામાં આવે છે તેને ‘ બાગાયતી ખેતી કહેવામાં આવે છે .

✒️ બાગાયતી પાકોની ખેતીમાં પાકોનું સંવર્ધન , ઘણી માવજત અને ચીવટપૂર્વક કરવામાં આવે છે 

✒️ તેને માટે સુદ્રઢ આયોજન , મોટી મૂડી , સિંચાઈ , ખાતરો વગેરેની સગવડોની જરૂર પડે છે 

✒️ અહીં ચા , કોફી , રબર , નાળિયેરી વગેરેના પાકો લેવામાં આવે છે આ ઉપરાંત અહીં સફરજન , કેરી , લીંબુ , દ્રાક્ષ વગેરે ફળોની ખેતી કરવામાં આવે છે

( 6 ) સઘન ખેતી : 

✒️ જ્યાં સિંચાઈની સગવડ સારી છે ત્યાંનો ખેડૂત વર્ષમાં એક કરતા વધારે પાકોનું ઉત્પાદન લઈ શકે છે આ ખેતીમાં રોકડીયા પાકોનું વાવેતર થાય છે તેમાં હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખુબ વધારો થાય છે 

✒️ આર્થિક વળતર વધારે મળે છે આથી તેને વ્યાપારી ખેતી ’ પણ કહે છે


2. ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાનગત સુધારા જણાવો 

* ભારતે કૃષિ ક્ષેત્રે મહત્વના સુધારા કરેલા છે 

✒️ જમીન ટોચ મર્યાદા દ્વારા જમીન માલિકની અસમાનતા દૂર કરવામાં આવી છે 

✒️ બિયારણો , ખાતરો અને જંતુનાશક દવાઓ ખરીદવા માટે સરકાર ખેડૂતોને સબસીડી અને આર્થિક મદદ કરે છે 

✒️ જમીનદારી પ્રથા નાબુદી દ્વારા ખેડૂતોનું શોષણ થતું અટકાવવામાં આવ્યું છે 

✒️ ખેડે તેની જમીન ’ ગણોતધારા દ્વારા જમીન માલિકને હક્ક આપવામાં આવ્યો છે 

✒️ ખેડૂતોને કૃષિ - ધિરાણ યોજના બનાવાઈ છે

✒️  જમીન એકત્રીકરણ કાર્યક્રમ દ્વારા નાના કદના ખેડાણ વિસ્તારોને એકત્રીકરણ કરવામાં આવ્યા છે 


✒️  “ પ્રધાનમંત્રી પાકવીમા યોજના ” દ્વારા ખેડૂતોને પાક વીમો આપવામાં આવે છે 

✒️ દુષ્કાળ કે અતિ વરસાદમાં નુકશાન જાય તો સરકાર આર્થિક મદદ 

પુરી પડે છે 

✒️ સરકારી તેમજ સરકારી ગોદામો , પરિવહનની સગવડો વધારવામાં આવી છે


3. ‘ વિશ્વ બજાર અને ભારતની ખેતી ' વિશે નોંધ લખો . 

* વૈશ્વિકીકરણની અસરો નીચે પ્રમાણે છે . 

✒️ વૈશ્વિકીકરણની સંજોગોમાં ખેતપેદાશોના પ્રમાણ , પ્રકાર અને સ્વરૂપ બદલાયાં છે 

✒️ વૈશ્વિકીકરણની નીતિ અપનાવી હોવાથી આયાત - નિકાસ સરળ બનાવી શકાય છે 

✒️  પરિણામે ગુજરાતના કપાસ , મરચા , તેલ વગેરે ચીનના બજારોમાં વેચાવા લાગ્યા છે 

✒️ બી . ટી . ના બિયારણો ભારતમાં મળવા લાગ્યા છે 

✒️  તેનાથી ખેતી ખર્ચાળ બની છે 

✒️ વૈશ્વિકીકરણને કારણે આપણી ગુણવત્તાવાળી ખેતપેદાશોનું પેટન્ટ દેશોના નામે નોંધણી લેવું જરૂરી બન્યું છે .


4. ‘ ભારતનો ઘઉનો પાક ’ સવિસ્તર વર્ણવો . 

✒️ ભારતમાં ડાંગર પછીનો મહત્વ ધરાવતો પાક ઘઉ છે 

✒️  ભારતની 1/3 ખેતભુમી પર ઘઉની ખેતી થાય છે 

✒️  ઘઉં સમશીતોષ્ણ કટિબંધનો રવિ પાક છે 

✒️ વિશ્વમાં ઘઉના પાકનું મહત્વ વિશેષ છે 

✒️ ઘઉંના પાકને કાળી જમીન વાવણી વખતે 10 થી 15 સે જેટલું અને લણણી વખતે 20 થી 25 સે જેટલું તાપમાન માફક આવે છે 75 સેમી જેટલો વરસાદ માફક આવે છે 

✒️ હરિયાળી ક્રાંતિને લીધે દેશમાં ઘઉંનું ઉત્પાદન બમણું થાય છે 

✒️ ઘઉના પાકને હિમથી નુકશાન થાય છે 

✒️ પંજાબ તેના વિપુલ ઉત્પાદનના કારણે ‘ ઘઉનો કોઠારી કહેવાય છે 

✒️ ગુજરાતના ભાલ પ્રદેશના ‘ ભાલિયા ઘઉં ' તરીકે પ્રખ્યાત છે

✒️ ઘઉંમાંથી ભાખરી , રોટલી , બ્રેડ , બિસ્કિટ વગેરે વાનગીઓ બને છે 

✒️ ઘઉંને “ અનાજનો રાજા કહેવામાં આવે છે


5. ‘ ભારતના તેલીબિયાં પાક ’ વિશે સવિસ્તર જણાવો . 

✒️  ભારતમાં ઋતુ અનુસાર મગફળી , સરસવ , તલ , સૂર્યમુખી વગેરે તેલીબિયાંના પાક લેવામાં આવે છે 

✒️ આ ઉપરાંત નાળિયેરીના કોપરામાંથી પણ તેલ મેળવાય છે 

✒️ મગફળી , સરસવ , તલ અને કોપરાનો ઉપયોગ વધુ થાય છે 

મગફળી 

✒️ મગફળી મગફળી તેલીબિયાંમાં સૌથી વધુ મહત્વ ધરાવે છે 

✒️ તે ખરીફ પાક છે પરંતુ સિંચાઈની સગવડ હોય ત્યાં ઉનાળુ પાક તરીકે પણ તે વપરાય છે 

✒️  તેના પાકને કાળી , કસવાળી ગોરાડુ જમીન માફક આવે છે . 20 થી 25 સે જેટલું તાપમાન તથા 50 થી 75 સેમી જેટલો વરસાદ માફક આવે છે .

✒️  મગફળીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં પ્રથમ ક્રમે છે -

તલ :

✒️  તલનો પાક વર્ષા આધારિત છે . 

✒️ ગુજરાતમાં તલનું સૌથી વધુ વાવેતર બનાસકાંઠા જિલ્લામાં થાય છે . 

✒️  તલના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં પ્રથમ ક્રમે છે 

✒️ ભારત વિશ્વમાં તલની સૌથી વધુ નિકાસ કરતો દેશ છે 

સસવ

✒️ સરસવ રવિ પાક છે 

✒️ સરસવના તેલનો ખાધતેલ તરીકે ઉપયોગ કરવામાં આવે 

✒️ મધ્યપ્રદેશ , હરિયાણા , ગુજરાત , રાજસ્થાન વગેરે રાજ્યો સરસવના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે 

નાળિયેર

✒️ નાળિયેર દરિયાકિનારાની ક્ષારવાળી જમીન તથા ગરમ ભેજવાળી આબોહવા માફક આવે છે 

✒️  ભારતમાં સૌથી વધુ ઉત્પાદન કેરલમાં થાય છે 

એરંડો

✒️ એરંડો એટલે દિવેલા 

✒️ ભારતમાં ગુજરાત , આંધ્રપ્રદેશ અને રાજસ્થાનમાં થાય છે 

✒️ વિશ્વના કુલ ઉત્પાદનનો 64 % હિસ્સો ભારતમાં થાય છે

✒️ ભારતના કુલ ઉત્પાદનના લગભગ 80 % ઉત્પાદન ગુજરાતમાં થાય છે 

✒️ એરંડાનું ઉત્પાદન બનાસકાંઠા , પાટણ , સાબરકાંઠા વગેરે જિલ્લાઓમાં થાય છે


☆ મુદાસર ઉત્તર લખો 

1. જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે ? 

✒️ જૈવિક ખેત - ઉત્પાદનોની માંગ ખુબ જ છે 

✒️ જૈવિક ખેતીના ઉત્પાદનો પોષણયુક્ત હોય છે 

✒️ કુદરતી સ્વાદ , મીઠાશ અને સુગંધ હોય છે તેમાં ખનીજ , વિટામિન આપતા તત્વો વધારે હોય છે 

✒️ આથી જૈવિક ખેત - ઉત્પાદનોની માંગ ખુબ જ છે આથી ખેડૂતોને તેનું આર્થિક વળતર ઘણું મળે છે 


2. તફાવત 


3. ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન વર્ણવો . 

✒️ ભારતના અર્થતંત્રમાં કૃષિ - પ્રવૃત્તિનું બહુ મહત્વનું યોગદાન છે 

✒️ તે રાષ્ટ્રીય આવકનો 22 % જેટલો હિસ્સો આપે છે ભારતના લોકોનો ખોરાક પૂરો પાડે છે 

✒️ તે દેશના 60 % લોકોની રોજગારી પુરી પાડે છે 

✒️ દેશના ( GDP ) નો લગભગ 17 % હિસ્સો ધરાવે છે ચા , કોફી , કપાસ , ચણા , મસાલાઓ , તમાકુ વગેરેના નિકાસથી વિદેશી હુંડીયામણ પ્રાપ્ત થાય છે

4. ડાંગર : ભારતનો સૌથી અગત્યનો પાક - સમજાવો .

✒️  ભારતના ઉત્તરના મેદાનમાં પૂર્વ ભાગમાં , ઈશાન પ્રદેશમાં ભારે વરસાદ પડે છે 

✒️  આ પ્રદેશની આબોહવા ગરમ અને ભેજવાળી છે 

✒️  અહીં અનાજોમાં માત્ર ડાંગરનો પાક લઈ શકાય છે 

✒️ આ ઉપરાંત વધુ વરસાદવાળા ભાગોમાં પણ ડાંગર મુખ્ય પાક છે 

✒️ દેશના અડધા ભાગના લોકોનો મુખ્ય ખોરાક છે 

✒️ ભારતના કુલ વાવેતર વિસ્તારના 1/4  ભાગમાં ડાંગર પકવવામાં આવે છે 

તેથી ભારતમાં ડાંગર સૌથી વધુ મહત્વનો ધાન્ય પાક છે

☆ ટુંકમાં  ઉત્તર લખો 

1. મકાઈનો ઉપયોગ જણાવો . 

✒️ મકાઈનો પશુઆહારમાં ઘાણી બનાવવામાં અને ખાધતેલમાં ઉપયોગ થાય છે 

✒️ ડુંગરાળ પ્રદેશના લોકો મકાઈનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે 

✒️ મકાઈમાં સ્ટાર્ચ , તેલ , પ્રોટીન જેવા ઘટકો હોય છે


2. કૉફીના પાકની અનુકૂળતાઓ જણાવો . 

✒️  કોફીના પાકને 15 થી 28 સે જેટલું તાપમાન અને 150 થી 200 સેમી જેટલો વરસાદ માફક આવે છે 

✒️ કોફીના છોડને સીધો તડકો ન પડે તે રીતે મોટા ઝાડની છાયામાં ઉછેરવામાં આવે છે


3. ભાલ પ્રદેશમાં કેવા પ્રકારની ખેતી થાય છે અને ક્યો પાક લેવાય છે ? 

✒️ ભાલ પ્રદેશમાં સૂકી ખેતી થાય છે 

✒️ અહીં ચોમાસુ પૂરું થયા પછી ભેજવાળી જમીનમાં ઘઉં અને ચણાનો પાક લેવાય છે


 4. હરિયાળી ક્રાંતિ એટલે શું ?

✒️  રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ , સુધારેલા બિયારણો , ખેડૂતોનો પુરુષાર્થ , વીજ વિતરણની વ્યવસ્થા , સિંચાઈની સગવડોમાં થયેલો નોંધપાત્ર વધારો વગેરે પરિબળોથી કૃષિ 

✒️  ઉત્પાદનોમાં થયેલા અસાધારણ વધારાની ઘટનાને “ હરિયાળી ક્રાંતિ કહે છે .


5. કૃષિ સંશોધન ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ કાર્ય કરતી સંસ્થાઓના નામ લખો .

✒️  ( 1 ) ICAR ( ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલચર રિસર્ચ ) 

✒️ ( 2 ) DARE ( ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલચર રિચર્સ એન્ડ એજ્યુકેશન )

☆ યોગ્ય વિકલ્પ લખો 

1. નીચેનામાંથી કઈ ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું હોય છે ? 

 ( A ) બાગાયતી ખેતી

 ( B ) ઝૂમ ખેતી 

 ( C ) સઘન ખેતી

 ( D ) આદ્ર ખેતી

2. નીચેનામાંથી કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરાતો નથી ? 

( A ) સજીવ ખેતી 

( B ) મિશ્ર ખેતી 

( C ) બાગાયતી ખેતી 

( D ) ટકાઉ ખેતી

3. મગફળીનું ઉત્પાદન ક્યા રાજ્યમાં સૌથી વધુ થાય છે ?

 ( A ) કેરલ 

( B ) તમિલનાડુ 

( C ) મધ્યપ્રદેશ

 ( D ) ગુજરાત

4. ચૉકલેટ શાનામાંથી બને છે ? 

( A ) તલ 

( B ) કોકો 

( C ) રબર 

( D ) ચા 

5. નીચેનામાંથી કયા મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ઉત્પાદક રાજ્ય છે ? 

( A ) ઈસબગુલ

( B ) મેથી 

( C ) સરસવ 

( D ) ધાણા

6. નીચેનામાંથી કયું કઠોળ રવિ પાક છે ?

 ( A ) અડદ

 ( B ) મગ 

 ( C ) ચણા 

 ( D ) મઠ

Post a Comment

0 Comments