10. ભારત : કૃષિ
સ્વાધ્યાય સોલ્યુશન
☆ સવિસ્તર ઉત્તર લખો
1. કૃષિના પ્રકારો વિશે નોંધ લખો .
✒️ ભારતમાં ખેતીના મુખ્ય છ પ્રકારો છેઓ
( 1 ) જીવન નિર્વાહ ખેતી
( 2 ) સૂકી ખેતી
( 3 ) આર્દ્ર ખેતી
( 4 ) સ્થળાંતરિત ખેતી
( 5 ) બાગાયતી ખેતી
( 6 ) સઘન ખેતી
( 1 ) જીવન નિર્વાહ ખેતી
✒️ જે ખેતીનું ઉત્પાદન થયા બાદ ખેડૂતોના ભરણપોષણમાં વપરાય જાય તેને જીવન નિર્વાહ કે આત્મા નિર્વાહ ખેતી ' કહેવાય છે
✒️ ગરીબીને કારણે તેમને ખેતીના આધુનિક ઓજારો , મોંઘા બિયારણો , ખાતરનો ઉપયોગ કરવો પરવડતો નથી
✒️ ભારતના મોટા ભાગના ખેડૂતો પાસે નાની જમીન છે . નાના ટુકડાઓમાં સિંચાઈની અપૂરતી સગવડ હોય છે
✒️ આથી અનાજનું ઉત્પાદન પોતાના કુટુંબના ઉપયોગ જેટલું જ થાય છે અને તે તેના ઘરખર્ચમાં વપરાય જાય છે .
✒️ આથી તેને જીવન નિર્વાહ ખેતી કહેવય છે
( 2 ) સૂકી ખેતી :
✒️ જ્યાં વરસાદ ઓછો પડે છે . સિંચાઈની સગવડો પણ અલ્પ છે તેવા વિસ્તારોમાં સૂકી ખેતી ’ કરવામાં આવે છે
✒️ અહીં જુવાર , બાજરી અને કઠોળ જેવા પાકની ખેતી થાય છે .
✒️ ગુજરાતમાં ભાલ પ્રદેશમાં ચોમાસામાં ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે
✒️ આ ખેતીનો આધાર જમીનમાં સાચવતા ભેજ પર રહેલો હોવાથી વર્ષમાં માત્ર એક જ પાક લઈ શકાય છે
( 3 ) આદ્ર ખેતી :
✒️ જ્યાં વધુ વરસાદ પડે છે અને સિંચાઈ સગવડ છે ત્યાં આદ્ર ખેતી થાય છે
✒️ અહીં કપાસ , ઘઉં , શાકભાજી , ડાંગર વગેરેની ખેતી થાય છે વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા એક કરતા વધુ પાક લઈ શકાય છે
( 4 ) સ્થળાંતરિત ખેતી :
✒️ ગીચ જંગલોમાં આ પ્રકારની ખેતી કરવામાં આવે છે
✒️ અહીં મોટા ભાગે ધાન્ય પાકો અને શાકભાજી ની ખેતી થાય છે
✒️ તેમાં જંગલોના વૃક્ષો કાપીને કે બાળીને ત્યારબાદ તેમાં ખેતી કરવામાં આવે છે - બે - ત્રણ વર્ષ બાદ બીજા વિસ્તારમાં ખેતી કરવામાં આવે છે તેને સ્થળાંતરિત અથવા ઝૂમ ખેતી પણ કહે છે
✒️ આ ખેતીમાં હેકટર દીઠ ઉત્પાદન ઓછું થાય છે
( 5 ) બાગાયતી ખેતી :
✒️ લાંબા સમય સુધી ઉત્પાદન આપતા પાકોની ખેતી કરવા માટે બગીચા અને વાડીઓનો ઉપયોગ કરવામાં આવે છે તેને ‘ બાગાયતી ખેતી કહેવામાં આવે છે .
✒️ બાગાયતી પાકોની ખેતીમાં પાકોનું સંવર્ધન , ઘણી માવજત અને ચીવટપૂર્વક કરવામાં આવે છે
✒️ તેને માટે સુદ્રઢ આયોજન , મોટી મૂડી , સિંચાઈ , ખાતરો વગેરેની સગવડોની જરૂર પડે છે
✒️ અહીં ચા , કોફી , રબર , નાળિયેરી વગેરેના પાકો લેવામાં આવે છે આ ઉપરાંત અહીં સફરજન , કેરી , લીંબુ , દ્રાક્ષ વગેરે ફળોની ખેતી કરવામાં આવે છે
( 6 ) સઘન ખેતી :
✒️ જ્યાં સિંચાઈની સગવડ સારી છે ત્યાંનો ખેડૂત વર્ષમાં એક કરતા વધારે પાકોનું ઉત્પાદન લઈ શકે છે આ ખેતીમાં રોકડીયા પાકોનું વાવેતર થાય છે તેમાં હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખુબ વધારો થાય છે
✒️ આર્થિક વળતર વધારે મળે છે આથી તેને વ્યાપારી ખેતી ’ પણ કહે છે
2. ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાનગત સુધારા જણાવો
* ભારતે કૃષિ ક્ષેત્રે મહત્વના સુધારા કરેલા છે
✒️ જમીન ટોચ મર્યાદા દ્વારા જમીન માલિકની અસમાનતા દૂર કરવામાં આવી છે
✒️ બિયારણો , ખાતરો અને જંતુનાશક દવાઓ ખરીદવા માટે સરકાર ખેડૂતોને સબસીડી અને આર્થિક મદદ કરે છે
✒️ જમીનદારી પ્રથા નાબુદી દ્વારા ખેડૂતોનું શોષણ થતું અટકાવવામાં આવ્યું છે
✒️ ખેડે તેની જમીન ’ ગણોતધારા દ્વારા જમીન માલિકને હક્ક આપવામાં આવ્યો છે
✒️ ખેડૂતોને કૃષિ - ધિરાણ યોજના બનાવાઈ છે
✒️ જમીન એકત્રીકરણ કાર્યક્રમ દ્વારા નાના કદના ખેડાણ વિસ્તારોને એકત્રીકરણ કરવામાં આવ્યા છે
✒️ “ પ્રધાનમંત્રી પાકવીમા યોજના ” દ્વારા ખેડૂતોને પાક વીમો આપવામાં આવે છે
✒️ દુષ્કાળ કે અતિ વરસાદમાં નુકશાન જાય તો સરકાર આર્થિક મદદ
પુરી પડે છે
✒️ સરકારી તેમજ સરકારી ગોદામો , પરિવહનની સગવડો વધારવામાં આવી છે
3. ‘ વિશ્વ બજાર અને ભારતની ખેતી ' વિશે નોંધ લખો .
* વૈશ્વિકીકરણની અસરો નીચે પ્રમાણે છે .
✒️ વૈશ્વિકીકરણની સંજોગોમાં ખેતપેદાશોના પ્રમાણ , પ્રકાર અને સ્વરૂપ બદલાયાં છે
✒️ વૈશ્વિકીકરણની નીતિ અપનાવી હોવાથી આયાત - નિકાસ સરળ બનાવી શકાય છે
✒️ પરિણામે ગુજરાતના કપાસ , મરચા , તેલ વગેરે ચીનના બજારોમાં વેચાવા લાગ્યા છે
✒️ બી . ટી . ના બિયારણો ભારતમાં મળવા લાગ્યા છે
✒️ તેનાથી ખેતી ખર્ચાળ બની છે
✒️ વૈશ્વિકીકરણને કારણે આપણી ગુણવત્તાવાળી ખેતપેદાશોનું પેટન્ટ દેશોના નામે નોંધણી લેવું જરૂરી બન્યું છે .
4. ‘ ભારતનો ઘઉનો પાક ’ સવિસ્તર વર્ણવો .
✒️ ભારતમાં ડાંગર પછીનો મહત્વ ધરાવતો પાક ઘઉ છે
✒️ ભારતની 1/3 ખેતભુમી પર ઘઉની ખેતી થાય છે
✒️ ઘઉં સમશીતોષ્ણ કટિબંધનો રવિ પાક છે
✒️ વિશ્વમાં ઘઉના પાકનું મહત્વ વિશેષ છે
✒️ ઘઉંના પાકને કાળી જમીન વાવણી વખતે 10 થી 15 સે જેટલું અને લણણી વખતે 20 થી 25 સે જેટલું તાપમાન માફક આવે છે 75 સેમી જેટલો વરસાદ માફક આવે છે
✒️ હરિયાળી ક્રાંતિને લીધે દેશમાં ઘઉંનું ઉત્પાદન બમણું થાય છે
✒️ ઘઉના પાકને હિમથી નુકશાન થાય છે
✒️ પંજાબ તેના વિપુલ ઉત્પાદનના કારણે ‘ ઘઉનો કોઠારી કહેવાય છે
✒️ ગુજરાતના ભાલ પ્રદેશના ‘ ભાલિયા ઘઉં ' તરીકે પ્રખ્યાત છે
✒️ ઘઉંમાંથી ભાખરી , રોટલી , બ્રેડ , બિસ્કિટ વગેરે વાનગીઓ બને છે
✒️ ઘઉંને “ અનાજનો રાજા કહેવામાં આવે છે
5. ‘ ભારતના તેલીબિયાં પાક ’ વિશે સવિસ્તર જણાવો .
✒️ ભારતમાં ઋતુ અનુસાર મગફળી , સરસવ , તલ , સૂર્યમુખી વગેરે તેલીબિયાંના પાક લેવામાં આવે છે
✒️ આ ઉપરાંત નાળિયેરીના કોપરામાંથી પણ તેલ મેળવાય છે
✒️ મગફળી , સરસવ , તલ અને કોપરાનો ઉપયોગ વધુ થાય છે
☆ મગફળી
✒️ મગફળી મગફળી તેલીબિયાંમાં સૌથી વધુ મહત્વ ધરાવે છે
✒️ તે ખરીફ પાક છે પરંતુ સિંચાઈની સગવડ હોય ત્યાં ઉનાળુ પાક તરીકે પણ તે વપરાય છે
✒️ તેના પાકને કાળી , કસવાળી ગોરાડુ જમીન માફક આવે છે . 20 થી 25 સે જેટલું તાપમાન તથા 50 થી 75 સેમી જેટલો વરસાદ માફક આવે છે .
✒️ મગફળીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં પ્રથમ ક્રમે છે -
☆ તલ :
✒️ તલનો પાક વર્ષા આધારિત છે .
✒️ ગુજરાતમાં તલનું સૌથી વધુ વાવેતર બનાસકાંઠા જિલ્લામાં થાય છે .
✒️ તલના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં પ્રથમ ક્રમે છે
✒️ ભારત વિશ્વમાં તલની સૌથી વધુ નિકાસ કરતો દેશ છે
☆ સસવ :
✒️ સરસવ રવિ પાક છે
✒️ સરસવના તેલનો ખાધતેલ તરીકે ઉપયોગ કરવામાં આવે
✒️ મધ્યપ્રદેશ , હરિયાણા , ગુજરાત , રાજસ્થાન વગેરે રાજ્યો સરસવના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે
☆ નાળિયેર :
✒️ નાળિયેર દરિયાકિનારાની ક્ષારવાળી જમીન તથા ગરમ ભેજવાળી આબોહવા માફક આવે છે
✒️ ભારતમાં સૌથી વધુ ઉત્પાદન કેરલમાં થાય છે
☆એરંડો :
✒️ એરંડો એટલે દિવેલા
✒️ ભારતમાં ગુજરાત , આંધ્રપ્રદેશ અને રાજસ્થાનમાં થાય છે
✒️ વિશ્વના કુલ ઉત્પાદનનો 64 % હિસ્સો ભારતમાં થાય છે
✒️ ભારતના કુલ ઉત્પાદનના લગભગ 80 % ઉત્પાદન ગુજરાતમાં થાય છે
✒️ એરંડાનું ઉત્પાદન બનાસકાંઠા , પાટણ , સાબરકાંઠા વગેરે જિલ્લાઓમાં થાય છે
☆ મુદાસર ઉત્તર લખો
1. જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે ?
✒️ જૈવિક ખેત - ઉત્પાદનોની માંગ ખુબ જ છે
✒️ જૈવિક ખેતીના ઉત્પાદનો પોષણયુક્ત હોય છે
✒️ કુદરતી સ્વાદ , મીઠાશ અને સુગંધ હોય છે તેમાં ખનીજ , વિટામિન આપતા તત્વો વધારે હોય છે
✒️ આથી જૈવિક ખેત - ઉત્પાદનોની માંગ ખુબ જ છે આથી ખેડૂતોને તેનું આર્થિક વળતર ઘણું મળે છે
2. તફાવત
3. ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન વર્ણવો .
✒️ ભારતના અર્થતંત્રમાં કૃષિ - પ્રવૃત્તિનું બહુ મહત્વનું યોગદાન છે
✒️ તે રાષ્ટ્રીય આવકનો 22 % જેટલો હિસ્સો આપે છે ભારતના લોકોનો ખોરાક પૂરો પાડે છે
✒️ તે દેશના 60 % લોકોની રોજગારી પુરી પાડે છે
✒️ દેશના ( GDP ) નો લગભગ 17 % હિસ્સો ધરાવે છે ચા , કોફી , કપાસ , ચણા , મસાલાઓ , તમાકુ વગેરેના નિકાસથી વિદેશી હુંડીયામણ પ્રાપ્ત થાય છે
4. ડાંગર : ભારતનો સૌથી અગત્યનો પાક - સમજાવો .
✒️ ભારતના ઉત્તરના મેદાનમાં પૂર્વ ભાગમાં , ઈશાન પ્રદેશમાં ભારે વરસાદ પડે છે
✒️ આ પ્રદેશની આબોહવા ગરમ અને ભેજવાળી છે
✒️ અહીં અનાજોમાં માત્ર ડાંગરનો પાક લઈ શકાય છે
✒️ આ ઉપરાંત વધુ વરસાદવાળા ભાગોમાં પણ ડાંગર મુખ્ય પાક છે
✒️ દેશના અડધા ભાગના લોકોનો મુખ્ય ખોરાક છે
✒️ ભારતના કુલ વાવેતર વિસ્તારના 1/4 ભાગમાં ડાંગર પકવવામાં આવે છે
તેથી ભારતમાં ડાંગર સૌથી વધુ મહત્વનો ધાન્ય પાક છે
☆ ટુંકમાં ઉત્તર લખો
1. મકાઈનો ઉપયોગ જણાવો .
✒️ મકાઈનો પશુઆહારમાં ઘાણી બનાવવામાં અને ખાધતેલમાં ઉપયોગ થાય છે
✒️ ડુંગરાળ પ્રદેશના લોકો મકાઈનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે
✒️ મકાઈમાં સ્ટાર્ચ , તેલ , પ્રોટીન જેવા ઘટકો હોય છે
2. કૉફીના પાકની અનુકૂળતાઓ જણાવો .
✒️ કોફીના પાકને 15 થી 28 સે જેટલું તાપમાન અને 150 થી 200 સેમી જેટલો વરસાદ માફક આવે છે
✒️ કોફીના છોડને સીધો તડકો ન પડે તે રીતે મોટા ઝાડની છાયામાં ઉછેરવામાં આવે છે
3. ભાલ પ્રદેશમાં કેવા પ્રકારની ખેતી થાય છે અને ક્યો પાક લેવાય છે ?
✒️ ભાલ પ્રદેશમાં સૂકી ખેતી થાય છે
✒️ અહીં ચોમાસુ પૂરું થયા પછી ભેજવાળી જમીનમાં ઘઉં અને ચણાનો પાક લેવાય છે
4. હરિયાળી ક્રાંતિ એટલે શું ?
✒️ રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ , સુધારેલા બિયારણો , ખેડૂતોનો પુરુષાર્થ , વીજ વિતરણની વ્યવસ્થા , સિંચાઈની સગવડોમાં થયેલો નોંધપાત્ર વધારો વગેરે પરિબળોથી કૃષિ
✒️ ઉત્પાદનોમાં થયેલા અસાધારણ વધારાની ઘટનાને “ હરિયાળી ક્રાંતિ કહે છે .
5. કૃષિ સંશોધન ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ કાર્ય કરતી સંસ્થાઓના નામ લખો .
✒️ ( 1 ) ICAR ( ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલચર રિસર્ચ )
✒️ ( 2 ) DARE ( ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલચર રિચર્સ એન્ડ એજ્યુકેશન )
☆ યોગ્ય વિકલ્પ લખો
1. નીચેનામાંથી કઈ ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું હોય છે ?
( A ) બાગાયતી ખેતી
( B ) ઝૂમ ખેતી
( C ) સઘન ખેતી
( D ) આદ્ર ખેતી
2. નીચેનામાંથી કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરાતો નથી ?
( A ) સજીવ ખેતી
( B ) મિશ્ર ખેતી
( C ) બાગાયતી ખેતી
( D ) ટકાઉ ખેતી
3. મગફળીનું ઉત્પાદન ક્યા રાજ્યમાં સૌથી વધુ થાય છે ?
( A ) કેરલ
( B ) તમિલનાડુ
( C ) મધ્યપ્રદેશ
( D ) ગુજરાત
4. ચૉકલેટ શાનામાંથી બને છે ?
( A ) તલ
( B ) કોકો
( C ) રબર
( D ) ચા
5. નીચેનામાંથી કયા મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ઉત્પાદક રાજ્ય છે ?
( A ) ઈસબગુલ
( B ) મેથી
( C ) સરસવ
( D ) ધાણા
6. નીચેનામાંથી કયું કઠોળ રવિ પાક છે ?
( A ) અડદ
( B ) મગ
( C ) ચણા
( D ) મઠ