Ad

રાજ્યના ખેડૂતોને પાક ધિરાણની રકમ ચુકવવામાં રાહત , પાક ધિરાણન યોજના 2021 , પાક ધિરાણ વ્યાજ સહાય યોજના 2021

PM-kisan Yojana 10 મો હપ્તાો નાખવાની તૈયારી

ખેડૂતો ખુશહાલ: આ વખતે પૈસાની સાથે મળશે બીજા અનેક લાભ, ખર્ચો થશે ઓછો  

PM Live Today 7/6/2021



પાક ધિરાણ વ્યાજ સહાય 2021


કોરોનાના કપરાકાળમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના ખેડૂતોને પાક ધિરાણની રકમ ચુકવવામાં રાહત આપતો મહત્વપૂર્ણ ખેડૂત હિતલક્ષી નિર્ણય લીધો છે .

☞ ખેડૂત પાક ધિરાણ 30 જૂન સુધી લંબાવાયું

☞ કોરોનાને કારણે રાજ્ય સરકારે લીધો નિર્ણય 

☞ મોડી ચૂકવણીનો 16.30 કરોડનો ખર્ચ રાજ્ય સરકાર ચૂકવશે

ખેડૂતો માટે પાક ધિરાણ ભરપાઇ કરવાની મુદત તા . ૩૦ જૂન સુધી લંબાવીને રાજ્યના ધરતીપુત્રોને મોટી આર્થિક રાહત આપતો સંવેદનશીલ નિર્ણય વિજયભાઈ રૂપાણી દ્વારા લેવામાં આવ્યો છે .

કૃષિ કલ્યાણ વિભાગની યાદીમાં જણાવાયું કે … 

રાજ્યના કૃષિ કલ્યાણ વિભાગ દ્વારા આ અંગે ની યાદીમાં વધુમાં જણાવાયું છે કે નાબાર્ડની ક્રેડીટ પોલીસી મુજબ રાજ્યમાં ખેડૂતોને ટૂંકી મુદતનું પાક ધિરાણ , ધિરાણ સંસ્થાઓ મારફત ૭ ટકાના દરે પુરૂ પાડવામાં આવે છે જે પૈકી સમયસર ધિરાણ પરત ભરપાઇ કરતાં ખેડૂતોને ૩ ટકા વ્યાજ રાહત ભારત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે . જયારે ૪ ટકા વ્યાજ રાહત ગુજરાત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે . પરિણામે ગુજરાત રાજ્યના આવા ખેડૂતોને ઝીરો ટકા વ્યાજ દરે પાક ધિરાણ ઉપલબ્ધ થાય છે .

કોરોનાને ધ્યાને લેતા સરકારે લીધો ખેડૂતો માટે નિર્ણય

 Covid - 19 ના સેકન્ડ વેવમાં પણ માર્ચ -૨૦૨૧ થી મહામારીના કેસોમાં વધારો થયેલ છે . જેના પરિણામે ચાલુ વર્ષે પણ ખેડૂતો દ્વારા તા . ૩૧-૦૩-૨૦૨૧ સુધીમાં ધિરાણ પરત ભરપાઇ ના કરી શકે તેવી પરિસ્થિતિ ઉદ્દભવી છે . આ સંજોગોમાં તા . ૦૧-૦૪-૨૦૨૦ થી તા . ૩૦-૦૯-૨૦૨૦ સુધીનું સહકારી ધિરાણ માળખા મારફત પાક ધિરાણ લીધેલું હોય તેવા ખેડૂતો દ્વારા પાક ધિરાણની રકમ પરત ભરપાઇ કરવાની મુદત તા . ૩૦-૦૬-૨૦૨૧ સુધી વધારવા અંગે મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે .

શું કરી જાહેરાત ? 

આના પરિણામે જે ખેડૂતો દ્વારા સહકારી ધિરાણ માળખા મારફત તા . ૦૧-૦૪-૨૦૨૦ થી તા . ૩૦-૦૯-૨૦૨૦ સુધીમાં પાક ધિરાણ લીધેલ હશે તેવા પાક ધિરાણની રકમ પરત ભરપાઇ કરવાની મુદત તા . ૩૦-૦૬-૨૦૨૧ સુધી વધારવામાં આવી છે . તા . ૦૧-૦૪-૨૦૨૧ થી તા . ૩૦-૦૬ ૨૦૨૧ સુધીમાં લહેણી થયેલ પર ધિરાણની રકમ અથવા લહેણી થનાર રકમ તા . ૩૦-૦૬-૨૦૨૧ સુધીમાં અથવા ખેડૂતો દ્વારા ખરેખર પાક ધિરાણ પરત ભરપાઇ કરે તે બેમાંથી જે વહેલું હોય તે તારીખ સુધીમાં પાક ધિરાણ પરત ભરપાઇ કરે તેવા સહકારી ધિરાણ માળખાના ખેડૂતોને ભારત સરકાર દ્વારા મળતી ૩ ટકા વ્યાજ રાહતની રકમ તથા રાજ્ય સરકાર દ્વારા મળતી ૪ ટકા વ્યાજ રાહતની રકમ રાજ્ય સરકાર દ્વારા ચુકવવા અંગે નિર્ણય કરવામાં આવ્યો છે

ગુજરાતીમાં ન્યૂઝ વાંચવા ક્લિક કરો

Post a Comment

0 Comments